કેજરીવાલે કહ્યું, "મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:48:38

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરા મુલાકાત દરમિયાન ભાજપ સામે વધુ એક વિવાદિત નિવેદન આપી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના ચૂલામાં દિવાસળી ચાંપી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાત મુલાકાત છે. તેઓએ દાહોદ બાદ આજે વડોદરાની મુલાકાત લીધી હતી તે દરમિયાન વિવાદિત નિવેદન આપી રહ્યા છે. 


"મને ભગવાને કંસની ઔલાદોને મારવા કહ્યું છે"


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં રેલી બાદ વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. શ્રી કૃષ્ણના જન્મના દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાને મને સ્પેશિયલ કામ આપ્યું છે. ભગવાને મને કહ્યું છે કેઆ કંસની ઔલાદોનો નાશ કરું."




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .