રેવડી કલ્ચર બાદ ગુજરાતમાં રેડ કલ્ચર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 10:59:00

અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત ના પ્રવાસે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે 2 દિવસ ના ગુજરાત ના પ્રવાસે ત્યારે રવિવારે રાતે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પોહચય હતા . એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવ્યા છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. આટલું પકડાય છે તેનો અર્થ કે આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે.

 
કેજરીવાલનું દરોડા દ્વારા સ્વાગત .

રવિવારે એક તરફ અરવિંદ કેજરીવાલ અમદાવાદ પોહચયા ત્યાં બીજી બાજુ આપના અમદાવાદ કાર્યાલય ખાતે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપમાં આપના વધી રહેલા દબદબાથી ભાજપ ખુબ જ ગભરાઇ ગયું છે. તેના કારણે હવે આપના લોકો અને તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

અરવિંદ કેજરીવાલ ‘ભાજપ ગભરાય ગઈ છે’

અમદાવાદ કાર્યાલય પર પડેલી રેડ વિષે ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ એ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા .


અરવિંદ કેજરીવાલ, ”ગુજરાતની જનતા તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખુબ જ ખરાબ રીતે ગભરાઇ ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી આવી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ કલ્ચરની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીમાં કંઇ ન મળ્યું તો ગુજરાતમાં દરોડા પાડ્યા પરંતુ અહીં પણ કઇ જ નહી મળે.અમે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર દેશભક્ત છીએ.”


ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, ”કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”

 

 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"