રેવડી કલ્ચર બાદ ગુજરાતમાં રેડ કલ્ચર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 10:59:00

અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત ના પ્રવાસે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે 2 દિવસ ના ગુજરાત ના પ્રવાસે ત્યારે રવિવારે રાતે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પોહચય હતા . એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવ્યા છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. આટલું પકડાય છે તેનો અર્થ કે આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે.

 
કેજરીવાલનું દરોડા દ્વારા સ્વાગત .

રવિવારે એક તરફ અરવિંદ કેજરીવાલ અમદાવાદ પોહચયા ત્યાં બીજી બાજુ આપના અમદાવાદ કાર્યાલય ખાતે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપમાં આપના વધી રહેલા દબદબાથી ભાજપ ખુબ જ ગભરાઇ ગયું છે. તેના કારણે હવે આપના લોકો અને તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

અરવિંદ કેજરીવાલ ‘ભાજપ ગભરાય ગઈ છે’

અમદાવાદ કાર્યાલય પર પડેલી રેડ વિષે ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ એ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા .


અરવિંદ કેજરીવાલ, ”ગુજરાતની જનતા તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખુબ જ ખરાબ રીતે ગભરાઇ ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી આવી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ કલ્ચરની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીમાં કંઇ ન મળ્યું તો ગુજરાતમાં દરોડા પાડ્યા પરંતુ અહીં પણ કઇ જ નહી મળે.અમે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર દેશભક્ત છીએ.”


ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, ”કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”

 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.