આતુરતાનો આવ્યો અંત, કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-27 13:33:41

વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. આજથી કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં દાખલ કરવા માગે છે તેઓ kvsangathan.nic.in પર જઈને તેમના પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે. KVS ધોરણમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે.


પ્રવેશ માટેની શું છે પ્રક્રિયા? 


કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 31 માર્ચ 2023થી ગણવામાં આવશે. KVS વર્ગ 1 માં પ્રથમ કામચલાઉ પસંદગી અને પ્રતીક્ષા /યાદી 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે, વર્ગ 2 માં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલ 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે, જે 12 એપ્રિલ 2023 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.


નોંધણી પૂર્ણ થયા બાદ, પ્રથમ કામચલાઉ યાદી 20 એપ્રિલે બહાર પાડવામાં આવશે. જેના પર 21મી એપ્રિલથી પ્રવેશ શરૂ થશે. બીજી તરફ જો બેઠકો ખાલી રહેશે તો બીજા અને ત્રીજા રાઉન્ડની યાદી 28 એપ્રિલ અને 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 11 સિવાયના અન્ય વર્ગોની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલશે. જે ઓફલાઈન મોડમાં હશે. 



KVS વર્ગ-1 પ્રવેશ માટે આ રીતે થશે નોંધણી


1-સૌપ્રથમ KVSની સત્તાવાર વેબસાઇટ પર જાઓ

2-kvsonlineadmission.kvs.gov.in ની મુલાકાત લો.

3-KVSની સત્તાવાર વેબસાઇટમાં નોંધણી કરો.

4-પછી નોંધણી પૂર્ણ થયા પછી લોગિન કરો અને પ્રવેશ ફોર્મ ભરો.

5-આ પછી માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.

6-પછી અરજી ફોર્મ તપાસો.

7-અરજી ફોર્મ સબમીટ કરો.

8-અરજીની રસીદની પ્રિન્ટ આઉટ કાઢો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.