બરોડા ડેરીના સત્તાધીશો સામે કેતન ઈનામદારે ખોલ્યો મોરચો, વડોદરામાં ધારાસભ્યો અને પશુપાલકોએ કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:37:08

થોડા સમય પહેલા બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ધારાસભ્ય કેતન ઈનામદારે એક નિવેદન આપ્યું હતું. ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય ન આવતા ધારાસભ્ય કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. 


બરોડા ડેરી સામે ધરણા પર બેઠા ધારાસભ્ય         

બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને થતા અન્યાય સામે ધારાસભ્યે બાયો ચઢાવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોએ આ અંગે બપોરના બાર વાગ્યાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે પ્રતીક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.         




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.