બરોડા ડેરીના સત્તાધીશો સામે કેતન ઈનામદારે ખોલ્યો મોરચો, વડોદરામાં ધારાસભ્યો અને પશુપાલકોએ કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:37:08

થોડા સમય પહેલા બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ધારાસભ્ય કેતન ઈનામદારે એક નિવેદન આપ્યું હતું. ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય ન આવતા ધારાસભ્ય કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. 


બરોડા ડેરી સામે ધરણા પર બેઠા ધારાસભ્ય         

બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને થતા અન્યાય સામે ધારાસભ્યે બાયો ચઢાવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોએ આ અંગે બપોરના બાર વાગ્યાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે પ્રતીક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.         




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.