બરોડા ડેરીના સત્તાધીશો સામે કેતન ઈનામદારે ખોલ્યો મોરચો, વડોદરામાં ધારાસભ્યો અને પશુપાલકોએ કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:37:08

થોડા સમય પહેલા બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ધારાસભ્ય કેતન ઈનામદારે એક નિવેદન આપ્યું હતું. ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય ન આવતા ધારાસભ્ય કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. 


બરોડા ડેરી સામે ધરણા પર બેઠા ધારાસભ્ય         

બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને થતા અન્યાય સામે ધારાસભ્યે બાયો ચઢાવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોએ આ અંગે બપોરના બાર વાગ્યાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે પ્રતીક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.