ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન, પ્રમુખ પદેથી જિલ્લાના પ્રમુખોએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:07:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 182માંથી ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બંનેના રાજીનામાનો સી.આર.પાટીલે સ્વીકાર કર્યો છે જેને કારણે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. 


ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન  

ગુજરાતમાં જીત હાંસલ થયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનું રાજીનામું સી.આર.પાટીલને સોંપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતા ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. 


કયાં કારણોસર આપ્યું રાજીનામું તે હજી અસ્પષ્ટ  

અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ વિપુલ પટેલે ઈશારો આપ્યો હતો કે પક્ષ કહેશેએ પદ હું નિભાવીશ અને જે પદ છોડવાનું કહેશે તે છોડી દઈશ. આ બધી જવાબદારીને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હોય તેવી ચર્ચાઓએ વેગ પડક્યો છે. તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે કરવામાં આવેલા ખર્ચ બાબતના આક્ષેપોને કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.