ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન, પ્રમુખ પદેથી જિલ્લાના પ્રમુખોએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:07:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 182માંથી ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બંનેના રાજીનામાનો સી.આર.પાટીલે સ્વીકાર કર્યો છે જેને કારણે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. 


ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન  

ગુજરાતમાં જીત હાંસલ થયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનું રાજીનામું સી.આર.પાટીલને સોંપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતા ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. 


કયાં કારણોસર આપ્યું રાજીનામું તે હજી અસ્પષ્ટ  

અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ વિપુલ પટેલે ઈશારો આપ્યો હતો કે પક્ષ કહેશેએ પદ હું નિભાવીશ અને જે પદ છોડવાનું કહેશે તે છોડી દઈશ. આ બધી જવાબદારીને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હોય તેવી ચર્ચાઓએ વેગ પડક્યો છે. તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે કરવામાં આવેલા ખર્ચ બાબતના આક્ષેપોને કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.           




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.