ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન, પ્રમુખ પદેથી જિલ્લાના પ્રમુખોએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:07:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 182માંથી ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બંનેના રાજીનામાનો સી.આર.પાટીલે સ્વીકાર કર્યો છે જેને કારણે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. 


ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન  

ગુજરાતમાં જીત હાંસલ થયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનું રાજીનામું સી.આર.પાટીલને સોંપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતા ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. 


કયાં કારણોસર આપ્યું રાજીનામું તે હજી અસ્પષ્ટ  

અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ વિપુલ પટેલે ઈશારો આપ્યો હતો કે પક્ષ કહેશેએ પદ હું નિભાવીશ અને જે પદ છોડવાનું કહેશે તે છોડી દઈશ. આ બધી જવાબદારીને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હોય તેવી ચર્ચાઓએ વેગ પડક્યો છે. તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે કરવામાં આવેલા ખર્ચ બાબતના આક્ષેપોને કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.           




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.