ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન, પ્રમુખ પદેથી જિલ્લાના પ્રમુખોએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:07:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 182માંથી ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બંનેના રાજીનામાનો સી.આર.પાટીલે સ્વીકાર કર્યો છે જેને કારણે ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. 


ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું કરાયું વિસર્જન  

ગુજરાતમાં જીત હાંસલ થયા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનું રાજીનામું સી.આર.પાટીલને સોંપી દીધું છે. રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતા ખેડા અને વડોદરા જિલ્લા ભાજપના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. 


કયાં કારણોસર આપ્યું રાજીનામું તે હજી અસ્પષ્ટ  

અમૂલ ડેરીના ચેરમેન બન્યા બાદ વિપુલ પટેલે ઈશારો આપ્યો હતો કે પક્ષ કહેશેએ પદ હું નિભાવીશ અને જે પદ છોડવાનું કહેશે તે છોડી દઈશ. આ બધી જવાબદારીને લઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હોય તેવી ચર્ચાઓએ વેગ પડક્યો છે. તે ઉપરાંત વડોદરા જિલ્લા પ્રમુખે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ટાણે કરવામાં આવેલા ખર્ચ બાબતના આક્ષેપોને કારણે તેમણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે.           




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.