Kheda : સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ આવી એક્ટિવ મોડમાં, વિવિધ સ્થળોએ કરાયું ચેકિંગ, જપ્ત કરાઈ બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 11:13:44

ગઈકાલથી ખેડાના નડિયાદમાં બનેલી ઘટના વિશે વાત કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના બગડું ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવતા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ન માત્ર ખેડામાં પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર સીરપના જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાઓ પરથી સીરપનો જથ્થો ઝડપાયો હતો. 

Quantity of syrup seized from Mehsana, Amreli and Morbi Gandhinagar: ખેડામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ, મહેસાણા, અમરેલી અને મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

રાજ્યના અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા બાદ તપાસમાં અનેક શહેરોમાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મહેસાણામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મહેસાણાના ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. તે ઉપરાંત બોટાદમાંથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરાયો છે. 


એસઆઈટીની રચના કરવામાં આવી!

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.