Kheda : સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ આવી એક્ટિવ મોડમાં, વિવિધ સ્થળોએ કરાયું ચેકિંગ, જપ્ત કરાઈ બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 11:13:44

ગઈકાલથી ખેડાના નડિયાદમાં બનેલી ઘટના વિશે વાત કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના બગડું ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવતા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ન માત્ર ખેડામાં પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર સીરપના જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાઓ પરથી સીરપનો જથ્થો ઝડપાયો હતો. 

Quantity of syrup seized from Mehsana, Amreli and Morbi Gandhinagar: ખેડામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ, મહેસાણા, અમરેલી અને મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

રાજ્યના અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા બાદ તપાસમાં અનેક શહેરોમાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મહેસાણામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મહેસાણાના ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. તે ઉપરાંત બોટાદમાંથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરાયો છે. 


એસઆઈટીની રચના કરવામાં આવી!

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.