Kheda : સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ આવી એક્ટિવ મોડમાં, વિવિધ સ્થળોએ કરાયું ચેકિંગ, જપ્ત કરાઈ બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 11:13:44

ગઈકાલથી ખેડાના નડિયાદમાં બનેલી ઘટના વિશે વાત કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના બગડું ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવતા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ન માત્ર ખેડામાં પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર સીરપના જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાઓ પરથી સીરપનો જથ્થો ઝડપાયો હતો. 

Quantity of syrup seized from Mehsana, Amreli and Morbi Gandhinagar: ખેડામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ, મહેસાણા, અમરેલી અને મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

રાજ્યના અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા બાદ તપાસમાં અનેક શહેરોમાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મહેસાણામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મહેસાણાના ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. તે ઉપરાંત બોટાદમાંથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરાયો છે. 


એસઆઈટીની રચના કરવામાં આવી!

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.