Kheda : સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ આવી એક્ટિવ મોડમાં, વિવિધ સ્થળોએ કરાયું ચેકિંગ, જપ્ત કરાઈ બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 11:13:44

ગઈકાલથી ખેડાના નડિયાદમાં બનેલી ઘટના વિશે વાત કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના બગડું ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવતા પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ કેસમા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ન માત્ર ખેડામાં પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર સીરપના જથ્થા અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસ જિલ્લાના તમામ પાર્લરોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાઓ પરથી સીરપનો જથ્થો ઝડપાયો હતો. 

Quantity of syrup seized from Mehsana, Amreli and Morbi Gandhinagar: ખેડામાં સીરપ કાંડ બાદ જાગી રાજ્યની પોલીસ, મહેસાણા, અમરેલી અને મોરબીમાંથી ઝડપાયો સીરપનો જથ્થો

અલગ અલગ સ્થળો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

રાજ્યના અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા બાદ તપાસમાં અનેક શહેરોમાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો. મળતી માહિતી અનુસાર મહેસાણામાં એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે મહેસાણાના ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. તે ઉપરાંત બોટાદમાંથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરાયો છે. 


એસઆઈટીની રચના કરવામાં આવી!

બોટાદથી પોલીસે સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ મોરબીમાંથી પણ આયુર્વેદિક સીરપની અનેક બોટલો પીપળી રોડ પર આવેલા ઓમ કોમ્પલેક્ષમાંથી મળી આવી હતી.શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. આ ચેકિંગ વડોદરામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ મેડિકલ દુકાનોમાં કરાયું હતું. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરથી પણ આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી