જગદીશ ઠાકોર અને નરેશ પટેલની બંધબારણે બેઠકથી અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:36:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો જે તે જાતિ,જ્ઞાતિ કે સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવા માટે પ્રયાસો  કરી રહ્યા છે. સમાજના આગેવાનો કોઈ પણ પાર્ટીમાં જાય તો તેની સાથે તેમના સમાજના લોકો પણ તેમનું આંધળું અનુસરણ કરતા હોય છે. આ બાબતથી સારી રીતે વાકેફ રાજકીય પાર્ટીઓના નેતાઓ હાલ વિવિધ સામાજીક આગેવાનો સાથે બંધબારણે બેઠકો કરી રહ્યા છે.


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે જગદીશ ઠાકોરની બેઠક 


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા રાજકારણ ગરમાયું છે.  જો કે નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, જગદીશ ઠાકોર સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે આગેવાનો સાથે મારી ઓફિસમાં બેઠક ચાલતી હતી, તેમાં ફક્ત સામાજિક અને જૂની વાતો મિત્રતાની હોય તે જ થઈ છે. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. જ્યારે રાજકીય ચર્ચાનો સમય આવશે ત્યારે હું આપને કહીશ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તમામ સમાજના લોકોને વસ્તી ગણતરી મુજબ ટિકિટ મેળવવાનો હક છે. આ દરમિયાન ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે. લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાએ જોર પકડતા ખોડલધામ મંદિરમાં વસોયાએ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .