કચ્છના અંજારમાંથી અપહરણ કરાયેલા યુવકનો જમીનમાં દાટેલો મૃતદેહ મળતા ચકચાર, 1.25 કરોડની ખંડણી માટે કરાઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-11-11 19:33:55

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, તમામ મોટા શહેરોમાં લૂંટ, અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ વધી રહી છે. કચ્છના અંજાર શહેરમાં લાકડાના એક મોટા વેપારીના પુત્રનું આજથી 5 દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પુત્રને છોડાવવા માટે વેપારી પાસેથી 1.25 કરોડ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જો કે આજે આ યુવાનની લાશ આદિપુર નજીક એક નિર્જન સ્થળેથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે.


યુવાનના વીડિયોના આધારે પોલીસે કરી તપાસ


અપહરણ કરાયેલા 19 વર્ષીય  યશ તોમરે ચાર સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે  ‘ફસ ગયા’ લખ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે જે જગ્યાએ વીડિયો શૂટ કર્યો હતો તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. પોલીસે સતત બીજા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ SP ઑફિસ પાછળ આવેલી ઝાડીમાં સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું હતું. મોડી સાંજે ઝાડીમાંથી યશનું બૂટ મળી આવ્યું હતું. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયું હોવાનું ધ્યાને આવતાં ખુદ એસપી સાગર બાગમાર ઘટના સ્થળે દોડી ગયાં હતા. પોલીસને ઘટના સ્થળેથી યુવાનની દાટેલી લાશ પણ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. યશ તોમરના મૃતદેહના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રકિયા હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસે મૃતદેહ બહાર કાઢી મૃતદેહને એફએસએલ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેમજ અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો. બાદમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


કઈ રીતે થયું અપહરણ?


અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષિય યુવક યશ તોમરનું સવારે કોલેજ જવા દરમિયાન રસ્તામાંથી અપહરણ થયું હતું. અપહરણ કરનારી ગેંગે અજાણ્યા નંબર પરથી તેને છોડાવવા માટે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા  યશની માતાને ફોન કર્યો હતો. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.