કચ્છના અંજારમાંથી અપહરણ કરાયેલા યુવકનો જમીનમાં દાટેલો મૃતદેહ મળતા ચકચાર, 1.25 કરોડની ખંડણી માટે કરાઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-11-11 19:33:55

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, તમામ મોટા શહેરોમાં લૂંટ, અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ વધી રહી છે. કચ્છના અંજાર શહેરમાં લાકડાના એક મોટા વેપારીના પુત્રનું આજથી 5 દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પુત્રને છોડાવવા માટે વેપારી પાસેથી 1.25 કરોડ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જો કે આજે આ યુવાનની લાશ આદિપુર નજીક એક નિર્જન સ્થળેથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે.


યુવાનના વીડિયોના આધારે પોલીસે કરી તપાસ


અપહરણ કરાયેલા 19 વર્ષીય  યશ તોમરે ચાર સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે  ‘ફસ ગયા’ લખ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે જે જગ્યાએ વીડિયો શૂટ કર્યો હતો તે જગ્યાથી તેનું બૂટ મળી આવ્યું છે. પોલીસે સતત બીજા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ SP ઑફિસ પાછળ આવેલી ઝાડીમાં સર્ચ ઓપરેશન ચાલું રાખ્યું હતું. મોડી સાંજે ઝાડીમાંથી યશનું બૂટ મળી આવ્યું હતું. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયું હોવાનું ધ્યાને આવતાં ખુદ એસપી સાગર બાગમાર ઘટના સ્થળે દોડી ગયાં હતા. પોલીસને ઘટના સ્થળેથી યુવાનની દાટેલી લાશ પણ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. યશ તોમરના મૃતદેહના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રકિયા હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસે મૃતદેહ બહાર કાઢી મૃતદેહને એફએસએલ માટે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ ટીમો બનાવી હતી. તેમજ અંજાર, આદિપુર, ગાંધીધામ એ-બી ડિવિઝન, એલસીબી, એસ.ઓ.જી.ની ટીમોએ આ વિસ્તારને ખુંદી નાખ્યો હતો. બાદમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


કઈ રીતે થયું અપહરણ?


અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષિય યુવક યશ તોમરનું સવારે કોલેજ જવા દરમિયાન રસ્તામાંથી અપહરણ થયું હતું. અપહરણ કરનારી ગેંગે અજાણ્યા નંબર પરથી તેને છોડાવવા માટે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા  યશની માતાને ફોન કર્યો હતો. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં હતા.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.