કિરણ પટેલે ઈવેન્ટ કંપનીને આપી હતી મોટી લાલચ! G20માં કામ આપવાના બહાને કિરણ પટેલે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી


  • Published By :
  • Published Date : 2023-04-15 18:18:30

કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત માજી મંત્રીના ભાઈનું ઘર પચાવી પાડવાનો આરોપ પણ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર લગાવવમાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ કરવામાં આવી છે. આ વખતે કિરણ પટેલે ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે.        


ઈવેન્ટ કંપનીમાં કામ કરતા વ્યક્તિએ નોંધાવી ફરિયાદ!

જ્યારથી જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ ચર્ચામાં છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે ઈવેન્ટ કંપનીમાં કામ કરતા એક વ્યક્તિે ફરિયાદ કરી છે. 


3.51 લાખની છેતપીંડી કર્યા હોવાની નોંધાવી ફરિયાદ!

કિરણ પટેલે આ ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે જી-20માં કામ અપાવવાનું કહીને મોટી મોટી હોટલોમાં કિરણ પટેલે મીટીંગ કરી હતી. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ફાઈવ સ્ટાર હોટલમાં પણ કિરણ પટેલ રોકાયો હતો જેનું બિલ પણ ચૂકવ્યું હતું. કિરણ પટેલે 3.51 લાખની છેતરપીંડિ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્દિક ચંદારાણાએ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.