કિરણ પટેલે ઈવેન્ટ કંપનીને આપી હતી મોટી લાલચ! G20માં કામ આપવાના બહાને કિરણ પટેલે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી


  • Published By :
  • Published Date : 2023-04-15 18:18:30

કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત માજી મંત્રીના ભાઈનું ઘર પચાવી પાડવાનો આરોપ પણ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર લગાવવમાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ કરવામાં આવી છે. આ વખતે કિરણ પટેલે ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે.        


ઈવેન્ટ કંપનીમાં કામ કરતા વ્યક્તિએ નોંધાવી ફરિયાદ!

જ્યારથી જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ ચર્ચામાં છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે ઈવેન્ટ કંપનીમાં કામ કરતા એક વ્યક્તિે ફરિયાદ કરી છે. 


3.51 લાખની છેતપીંડી કર્યા હોવાની નોંધાવી ફરિયાદ!

કિરણ પટેલે આ ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે જી-20માં કામ અપાવવાનું કહીને મોટી મોટી હોટલોમાં કિરણ પટેલે મીટીંગ કરી હતી. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ફાઈવ સ્ટાર હોટલમાં પણ કિરણ પટેલ રોકાયો હતો જેનું બિલ પણ ચૂકવ્યું હતું. કિરણ પટેલે 3.51 લાખની છેતરપીંડિ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્દિક ચંદારાણાએ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.