કિરણ પટેલે ઈવેન્ટ કંપનીને આપી હતી મોટી લાલચ! G20માં કામ આપવાના બહાને કિરણ પટેલે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી


  • Published By :
  • Published Date : 2023-04-15 18:18:30

કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત માજી મંત્રીના ભાઈનું ઘર પચાવી પાડવાનો આરોપ પણ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર લગાવવમાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ કરવામાં આવી છે. આ વખતે કિરણ પટેલે ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે.        


ઈવેન્ટ કંપનીમાં કામ કરતા વ્યક્તિએ નોંધાવી ફરિયાદ!

જ્યારથી જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ ચર્ચામાં છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે ઈવેન્ટ કંપનીમાં કામ કરતા એક વ્યક્તિે ફરિયાદ કરી છે. 


3.51 લાખની છેતપીંડી કર્યા હોવાની નોંધાવી ફરિયાદ!

કિરણ પટેલે આ ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે જી-20માં કામ અપાવવાનું કહીને મોટી મોટી હોટલોમાં કિરણ પટેલે મીટીંગ કરી હતી. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ફાઈવ સ્ટાર હોટલમાં પણ કિરણ પટેલ રોકાયો હતો જેનું બિલ પણ ચૂકવ્યું હતું. કિરણ પટેલે 3.51 લાખની છેતરપીંડિ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્દિક ચંદારાણાએ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.