કિરણ પટેલની થઈ રહી છે સઘન પૂછપરછ, બેંક એકાઉન્ટની વિગતો સહિત અનેક વસ્તુઓ કરાઈ જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-12 10:57:51

નકલી પીએમો અધિકારી બની બેઠેલા મહાઠગ કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી હતી. તે ઉપરાંત કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા માલિની પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી હતી. ત્યારે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિત અનેક ચીજ વસ્તુઓ કબજે કરી લેવામાં આવી છે. 


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી માલિની પટેલની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ ખાતે લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી અને બાય રોડ કિરણ પટેલને અમદાવાદ લાવાયો હતો. કિરણ પટેલ અને તેની પત્ની પર અનેક આરોપો લાગ્યા છે. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલા બંગલોને પચાવી પાડવાની ફરિયાદ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાઈ છે. કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ખાતે લવાયેલા કિરણ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.     

 

બેંક એકાઉન્ટમાંથી મળી ચોંકાવનારી વિગતો! 

ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. મહાઠગના ઘરેથી અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંકની વિગતો મળી આવતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જ્યારે બેંક એકાઉન્ટ  અંગે તપાસ કરાતા સામે આવ્યું કે થોડા વર્ષો પહેલા કિરણ પટેલના ખાતામાં એટલા પૈસા પણ ન હતા કે તે બંગલો ખરીદી શકે. આઈટી રિટર્ન પણ ભરતા ન હતા. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે