કિરણ પટેલની થઈ રહી છે સઘન પૂછપરછ, બેંક એકાઉન્ટની વિગતો સહિત અનેક વસ્તુઓ કરાઈ જપ્ત!


  • Published By :
  • Published Date : 2023-04-12 10:57:51

નકલી પીએમો અધિકારી બની બેઠેલા મહાઠગ કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી હતી. તે ઉપરાંત કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા માલિની પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી હતી. ત્યારે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિત અનેક ચીજ વસ્તુઓ કબજે કરી લેવામાં આવી છે. 


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી હતી માલિની પટેલની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ ખાતે લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી અને બાય રોડ કિરણ પટેલને અમદાવાદ લાવાયો હતો. કિરણ પટેલ અને તેની પત્ની પર અનેક આરોપો લાગ્યા છે. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલા બંગલોને પચાવી પાડવાની ફરિયાદ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાઈ છે. કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ખાતે લવાયેલા કિરણ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.     

 

બેંક એકાઉન્ટમાંથી મળી ચોંકાવનારી વિગતો! 

ત્યારે મળતી માહિતી અનુસાર કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. મહાઠગના ઘરેથી અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંક એકાઉન્ટની ડિટેલ, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બેંકની વિગતો મળી આવતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જ્યારે બેંક એકાઉન્ટ  અંગે તપાસ કરાતા સામે આવ્યું કે થોડા વર્ષો પહેલા કિરણ પટેલના ખાતામાં એટલા પૈસા પણ ન હતા કે તે બંગલો ખરીદી શકે. આઈટી રિટર્ન પણ ભરતા ન હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.