શું કોંગ્રેસના પાટણના MLA કિરીટ પટેલનું ધારાસભ્ય પદ જશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-11 16:10:10

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું ધારાસભ્ય પદ પર જોખમ ઉભું થયું છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કિરીટ પટેલે કેટલીક વિગતો છુપાવી હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે 16 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.


સમગ્ર મામલો શું છે?


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે માહિતી ગુનાઈત માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં અરજી થતા ખળભળાટ મચી ગયો છે. 


કિરીટ પટેલને લાગી શકે છે ઝટકો


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમોનો ભંગ કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે, કિરીટ પટેલે ચૂંટણી દરમિયાન FIRની વિગતો જાહેર ન કરી હોવાથી હાઈકોર્ટમાં લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને પણ રાહુલ ગાંધીની જેમ બે વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.