શું કોંગ્રેસના પાટણના MLA કિરીટ પટેલનું ધારાસભ્ય પદ જશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-11 16:10:10

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું ધારાસભ્ય પદ પર જોખમ ઉભું થયું છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કિરીટ પટેલે કેટલીક વિગતો છુપાવી હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે 16 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.


સમગ્ર મામલો શું છે?


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે માહિતી ગુનાઈત માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં અરજી થતા ખળભળાટ મચી ગયો છે. 


કિરીટ પટેલને લાગી શકે છે ઝટકો


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમોનો ભંગ કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે, કિરીટ પટેલે ચૂંટણી દરમિયાન FIRની વિગતો જાહેર ન કરી હોવાથી હાઈકોર્ટમાં લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને પણ રાહુલ ગાંધીની જેમ બે વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.