શું કોંગ્રેસના પાટણના MLA કિરીટ પટેલનું ધારાસભ્ય પદ જશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-11 16:10:10

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું ધારાસભ્ય પદ પર જોખમ ઉભું થયું છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કિરીટ પટેલે કેટલીક વિગતો છુપાવી હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે 16 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.


સમગ્ર મામલો શું છે?


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે માહિતી ગુનાઈત માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં અરજી થતા ખળભળાટ મચી ગયો છે. 


કિરીટ પટેલને લાગી શકે છે ઝટકો


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમોનો ભંગ કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે, કિરીટ પટેલે ચૂંટણી દરમિયાન FIRની વિગતો જાહેર ન કરી હોવાથી હાઈકોર્ટમાં લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને પણ રાહુલ ગાંધીની જેમ બે વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.