શું કોંગ્રેસના પાટણના MLA કિરીટ પટેલનું ધારાસભ્ય પદ જશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-11 16:10:10

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું ધારાસભ્ય પદ પર જોખમ ઉભું થયું છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કિરીટ પટેલે કેટલીક વિગતો છુપાવી હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે 16 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.


સમગ્ર મામલો શું છે?


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે માહિતી ગુનાઈત માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં અરજી થતા ખળભળાટ મચી ગયો છે. 


કિરીટ પટેલને લાગી શકે છે ઝટકો


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમોનો ભંગ કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે, કિરીટ પટેલે ચૂંટણી દરમિયાન FIRની વિગતો જાહેર ન કરી હોવાથી હાઈકોર્ટમાં લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને પણ રાહુલ ગાંધીની જેમ બે વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે