જાણો Chhotaudepur Loksabhaના ઉમેદવાર Jashubhai Rathva જેમણે ગીતાબેન રાઠવાનું પત્તુ કાપ્યું,


  • Published By :
  • Published Date : 2024-03-14 12:23:38

ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાંથી અનેક નવા ચહેરાઓ હતા. અનેક વર્તમાન સાંસદોની ટિકીટ આ વખતે બીજેપીએ કાપી છે. છોટા ઉદેપુરમાં નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ હતા ગીતા બેન રાઠવા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપ્યું છે અને જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવાર વિશે... 

ભાજપે છોટા ઉદેપુર માટે જસુભાઈ રાઠવાને આપી ટિકીટ

છોટા ઉદેપુરમાં ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે. 10મી એપ્રિલ 2023એ જશુભાઈ રાઠવા સી.આર.પાટીલને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એવી વ્યક્તિ જે પક્ષને છોડી જતા રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવે છે! તેમના રાજીનામાનો ફોટો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ રાઠવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું લોકસભા ચૂંટણી લડીશ.


કોંગ્રેસ કોને આપશે ટિકીટ તે એક પ્રશ્ન!      

જસુભાઈ રાઠવાનો બીજો એક પરિચય એ પણ છે કે 2017માં જસુભાઈ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, રસાકસી વચ્ચે તેમની હાર થઈ હતી. 2019માં લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ગીતાબેન રાઠવાને 2019માં ટિકિટ મળી હતી. પરંતુ આ વખતે 2024માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપે એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે થોડા મહિના પહેલા પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર હશે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે