જાણો Chhotaudepur Loksabhaના ઉમેદવાર Jashubhai Rathva જેમણે ગીતાબેન રાઠવાનું પત્તુ કાપ્યું,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 12:23:38

ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાંથી અનેક નવા ચહેરાઓ હતા. અનેક વર્તમાન સાંસદોની ટિકીટ આ વખતે બીજેપીએ કાપી છે. છોટા ઉદેપુરમાં નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ હતા ગીતા બેન રાઠવા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપ્યું છે અને જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવાર વિશે... 

ભાજપે છોટા ઉદેપુર માટે જસુભાઈ રાઠવાને આપી ટિકીટ

છોટા ઉદેપુરમાં ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે. 10મી એપ્રિલ 2023એ જશુભાઈ રાઠવા સી.આર.પાટીલને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એવી વ્યક્તિ જે પક્ષને છોડી જતા રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવે છે! તેમના રાજીનામાનો ફોટો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ રાઠવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું લોકસભા ચૂંટણી લડીશ.


કોંગ્રેસ કોને આપશે ટિકીટ તે એક પ્રશ્ન!      

જસુભાઈ રાઠવાનો બીજો એક પરિચય એ પણ છે કે 2017માં જસુભાઈ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, રસાકસી વચ્ચે તેમની હાર થઈ હતી. 2019માં લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ગીતાબેન રાઠવાને 2019માં ટિકિટ મળી હતી. પરંતુ આ વખતે 2024માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપે એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે થોડા મહિના પહેલા પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર હશે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 




96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.