જાણો Chhotaudepur Loksabhaના ઉમેદવાર Jashubhai Rathva જેમણે ગીતાબેન રાઠવાનું પત્તુ કાપ્યું,


  • Published By :
  • Published Date : 2024-03-14 12:23:38

ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા જેમાંથી અનેક નવા ચહેરાઓ હતા. અનેક વર્તમાન સાંસદોની ટિકીટ આ વખતે બીજેપીએ કાપી છે. છોટા ઉદેપુરમાં નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપના સાંસદ હતા ગીતા બેન રાઠવા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપ્યું છે અને જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવાર વિશે... 

ભાજપે છોટા ઉદેપુર માટે જસુભાઈ રાઠવાને આપી ટિકીટ

છોટા ઉદેપુરમાં ભાજપે ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે. 10મી એપ્રિલ 2023એ જશુભાઈ રાઠવા સી.આર.પાટીલને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે રાજીનામું આપી દે છે અને 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એવી વ્યક્તિ જે પક્ષને છોડી જતા રહ્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવે છે! તેમના રાજીનામાનો ફોટો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ રાઠવાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું લોકસભા ચૂંટણી લડીશ.


કોંગ્રેસ કોને આપશે ટિકીટ તે એક પ્રશ્ન!      

જસુભાઈ રાઠવાનો બીજો એક પરિચય એ પણ છે કે 2017માં જસુભાઈ છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ચૂંટણી લડ્યા હતા. જોકે, રસાકસી વચ્ચે તેમની હાર થઈ હતી. 2019માં લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ગીતાબેન રાઠવાને 2019માં ટિકિટ મળી હતી. પરંતુ આ વખતે 2024માં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં ભાજપે એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે થોડા મહિના પહેલા પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા. હવે જોવું રહ્યું કે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર હશે. અનેક નામોની ચર્ચા થઈ રહી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.