જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું વાતાવરણ? ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-10-26 16:19:20

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને હાલ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થવાને કારણે અનેક જગ્યાઓ પર રોગચાળો વકરી રહ્યો છે. શિયાળાનો અનુભવ આગામી દિવસોમાં થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આગામી પાંચ-સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

આગાહી: ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે – Kaptaan

આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થાય છે. પરંતુ બપોરે ગરમીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનનો પારો ગગડી શકી છે. આગામી દિવસો દરમિયાન વરસાદ નહીં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

 સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.

સવારે અનુભવાય છે ઠંડીનો ચમકારો 

અમદાવાદના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સવારે ઠંડીનો ચમકારો, બેવડી ઋતુને કારણે રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રીનો ફેરફાર નોંધાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.