જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું વાતાવરણ? ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-10-26 16:19:20

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને હાલ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થવાને કારણે અનેક જગ્યાઓ પર રોગચાળો વકરી રહ્યો છે. શિયાળાનો અનુભવ આગામી દિવસોમાં થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આગામી પાંચ-સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

આગાહી: ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે – Kaptaan

આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થાય છે. પરંતુ બપોરે ગરમીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનનો પારો ગગડી શકી છે. આગામી દિવસો દરમિયાન વરસાદ નહીં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

 સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.

સવારે અનુભવાય છે ઠંડીનો ચમકારો 

અમદાવાદના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સવારે ઠંડીનો ચમકારો, બેવડી ઋતુને કારણે રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રીનો ફેરફાર નોંધાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી