જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું વાતાવરણ? ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-10-26 16:19:20

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને હાલ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થવાને કારણે અનેક જગ્યાઓ પર રોગચાળો વકરી રહ્યો છે. શિયાળાનો અનુભવ આગામી દિવસોમાં થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આગામી પાંચ-સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

આગાહી: ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે – Kaptaan

આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થાય છે. પરંતુ બપોરે ગરમીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનનો પારો ગગડી શકી છે. આગામી દિવસો દરમિયાન વરસાદ નહીં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

 સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.

સવારે અનુભવાય છે ઠંડીનો ચમકારો 

અમદાવાદના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સવારે ઠંડીનો ચમકારો, બેવડી ઋતુને કારણે રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રીનો ફેરફાર નોંધાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.