જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું વાતાવરણ? ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-26 16:19:20

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને હાલ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થવાને કારણે અનેક જગ્યાઓ પર રોગચાળો વકરી રહ્યો છે. શિયાળાનો અનુભવ આગામી દિવસોમાં થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આગામી પાંચ-સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

આગાહી: ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે – Kaptaan

આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો 

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થાય છે. પરંતુ બપોરે ગરમીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનનો પારો ગગડી શકી છે. આગામી દિવસો દરમિયાન વરસાદ નહીં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.

 સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.

સવારે અનુભવાય છે ઠંડીનો ચમકારો 

અમદાવાદના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સવારે ઠંડીનો ચમકારો, બેવડી ઋતુને કારણે રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રીનો ફેરફાર નોંધાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..