જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કયા રાજ્યોથી સામે આવ્યા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-04 13:18:53

દેશમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3038 કેસ સામે આવ્યા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 40 દિવસ જેટલા સમયમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.


9 જેટલા લોકોના થયા મોત

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 3038 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. કોરોના કેસમાં અનેક ઘણો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે. 


આ રાજ્યોમાંથી સૌથી વધારે નોંધાયા કેસ 

જો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો 2054 કેસ તો માત્ર પાંચ રાજ્યોથી સામે આવ્યા છે. કેરળમાં કોરોનાના નવા 964 કેસ નોંધાયા છે, હિમાચલ પ્રદેશમાં 318 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 293 લોકો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 248 કેસ સામે આવ્યા છે જ્યારે 231 કેસ ગુજરાતથી સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વધવાની વાત કરીએ તો કોરોનાનો વેરિયન્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.