જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કયા રાજ્યોથી સામે આવ્યા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-04 13:18:53

દેશમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3038 કેસ સામે આવ્યા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 40 દિવસ જેટલા સમયમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.


9 જેટલા લોકોના થયા મોત

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 3038 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. કોરોના કેસમાં અનેક ઘણો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે. 


આ રાજ્યોમાંથી સૌથી વધારે નોંધાયા કેસ 

જો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો 2054 કેસ તો માત્ર પાંચ રાજ્યોથી સામે આવ્યા છે. કેરળમાં કોરોનાના નવા 964 કેસ નોંધાયા છે, હિમાચલ પ્રદેશમાં 318 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 293 લોકો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 248 કેસ સામે આવ્યા છે જ્યારે 231 કેસ ગુજરાતથી સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વધવાની વાત કરીએ તો કોરોનાનો વેરિયન્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.