જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કયા રાજ્યોથી સામે આવ્યા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-04 13:18:53

દેશમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3038 કેસ સામે આવ્યા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 40 દિવસ જેટલા સમયમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.


9 જેટલા લોકોના થયા મોત

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 3038 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. કોરોના કેસમાં અનેક ઘણો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે. 


આ રાજ્યોમાંથી સૌથી વધારે નોંધાયા કેસ 

જો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો 2054 કેસ તો માત્ર પાંચ રાજ્યોથી સામે આવ્યા છે. કેરળમાં કોરોનાના નવા 964 કેસ નોંધાયા છે, હિમાચલ પ્રદેશમાં 318 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 293 લોકો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 248 કેસ સામે આવ્યા છે જ્યારે 231 કેસ ગુજરાતથી સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વધવાની વાત કરીએ તો કોરોનાનો વેરિયન્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.