જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત, કોરોના મોક ડ્રિલનો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-04-11 11:26:22

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કોરોનાના નવા 5676 કેસ નોંધાયા છે. સોમવારે કોરોના સંક્રમિતોનો આંકડો 5880 નોંધાયો હતો. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બીજો દિવસ છે.


સોમવાર કરતા મંગળવારે નોંધાયા ઓછા કેસ!

કોરોના સંક્રમણ દેશમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજાર જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 5676 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા 37 હજારને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા છે. 


હોસ્પિટલોમાં કરાયું હતું મોક ડ્રિલનું આયોજન

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મોક ડ્રિલ દરમિયાન હાજર રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન થયું હતું, ગુજરાતના આરોગ્ય મંત્રીએ ભીડમાં જાવ ત્યારે માસ્ક પહેરવા લોકોને અપીલ કરી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.