જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત, કોરોના મોક ડ્રિલનો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-04-11 11:26:22

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કોરોનાના નવા 5676 કેસ નોંધાયા છે. સોમવારે કોરોના સંક્રમિતોનો આંકડો 5880 નોંધાયો હતો. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બીજો દિવસ છે.


સોમવાર કરતા મંગળવારે નોંધાયા ઓછા કેસ!

કોરોના સંક્રમણ દેશમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજાર જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 5676 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા 37 હજારને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા છે. 


હોસ્પિટલોમાં કરાયું હતું મોક ડ્રિલનું આયોજન

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મોક ડ્રિલ દરમિયાન હાજર રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન થયું હતું, ગુજરાતના આરોગ્ય મંત્રીએ ભીડમાં જાવ ત્યારે માસ્ક પહેરવા લોકોને અપીલ કરી હતી. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.