જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત, કોરોના મોક ડ્રિલનો આજે બીજો દિવસ


  • Published By :
  • Published Date : 2023-04-11 11:26:22

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં મોકડ્રિલ યોજાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કોરોનાના નવા 5676 કેસ નોંધાયા છે. સોમવારે કોરોના સંક્રમિતોનો આંકડો 5880 નોંધાયો હતો. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજે બીજો દિવસ છે.


સોમવાર કરતા મંગળવારે નોંધાયા ઓછા કેસ!

કોરોના સંક્રમણ દેશમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજાર જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 5676 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યા 37 હજારને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા છે. 


હોસ્પિટલોમાં કરાયું હતું મોક ડ્રિલનું આયોજન

વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે દેશની હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મોક ડ્રિલ દરમિયાન હાજર રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન થયું હતું, ગુજરાતના આરોગ્ય મંત્રીએ ભીડમાં જાવ ત્યારે માસ્ક પહેરવા લોકોને અપીલ કરી હતી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.