જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? આ જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો તમારા જિલ્લામાં થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-19 09:01:34

ભાદરવા મહિનામાં મેઘો ગુજરાત પર મહેરબાન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર તો જોવા મળી પરંતુ મેઘમહેર અનેક વિસ્તારો માટે મેઘ કહેર સાબિત થઈ. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ભરાઈ ગયા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક નદીઓ ગાંદીતૂર બનીને બે કાંઠે વહી રહી છે. ડેમો પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરતા અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળી મેઘમહેર 

ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જગતના તાતની ચિંતા વધી હતી. ઓગસ્ટ મહિનામાં અમુક જગ્યાઓ પર જ વરસાદ વરસ્યો હતો પરંતુ અનેક જિલ્લાઓમાં વરસાદ ન પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા કારણ કે સારો વરસાદ થશે તેવી આશા તેમણે રાખી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જૂન તેમજ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પાટણ, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર તેમજ ભાવનગરમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ભરૂચ,જૂનાગઢ, સુરતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છ, દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.