જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? આ જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો તમારા જિલ્લામાં થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-19 09:01:34

ભાદરવા મહિનામાં મેઘો ગુજરાત પર મહેરબાન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર તો જોવા મળી પરંતુ મેઘમહેર અનેક વિસ્તારો માટે મેઘ કહેર સાબિત થઈ. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ભરાઈ ગયા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક નદીઓ ગાંદીતૂર બનીને બે કાંઠે વહી રહી છે. ડેમો પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરતા અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળી મેઘમહેર 

ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જગતના તાતની ચિંતા વધી હતી. ઓગસ્ટ મહિનામાં અમુક જગ્યાઓ પર જ વરસાદ વરસ્યો હતો પરંતુ અનેક જિલ્લાઓમાં વરસાદ ન પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા કારણ કે સારો વરસાદ થશે તેવી આશા તેમણે રાખી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જૂન તેમજ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પાટણ, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર તેમજ ભાવનગરમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ભરૂચ,જૂનાગઢ, સુરતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છ, દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.