જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? આ જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો તમારા જિલ્લામાં થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-19 09:01:34

ભાદરવા મહિનામાં મેઘો ગુજરાત પર મહેરબાન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર તો જોવા મળી પરંતુ મેઘમહેર અનેક વિસ્તારો માટે મેઘ કહેર સાબિત થઈ. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ભરાઈ ગયા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક નદીઓ ગાંદીતૂર બનીને બે કાંઠે વહી રહી છે. ડેમો પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરતા અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળી મેઘમહેર 

ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જગતના તાતની ચિંતા વધી હતી. ઓગસ્ટ મહિનામાં અમુક જગ્યાઓ પર જ વરસાદ વરસ્યો હતો પરંતુ અનેક જિલ્લાઓમાં વરસાદ ન પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા કારણ કે સારો વરસાદ થશે તેવી આશા તેમણે રાખી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જૂન તેમજ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પાટણ, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર તેમજ ભાવનગરમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ભરૂચ,જૂનાગઢ, સુરતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છ, દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.