જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? આ જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો તમારા જિલ્લામાં થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-19 09:01:34

ભાદરવા મહિનામાં મેઘો ગુજરાત પર મહેરબાન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર તો જોવા મળી પરંતુ મેઘમહેર અનેક વિસ્તારો માટે મેઘ કહેર સાબિત થઈ. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ભરાઈ ગયા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક નદીઓ ગાંદીતૂર બનીને બે કાંઠે વહી રહી છે. ડેમો પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરતા અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળી મેઘમહેર 

ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જગતના તાતની ચિંતા વધી હતી. ઓગસ્ટ મહિનામાં અમુક જગ્યાઓ પર જ વરસાદ વરસ્યો હતો પરંતુ અનેક જિલ્લાઓમાં વરસાદ ન પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા કારણ કે સારો વરસાદ થશે તેવી આશા તેમણે રાખી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જૂન તેમજ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પાટણ, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર તેમજ ભાવનગરમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ભરૂચ,જૂનાગઢ, સુરતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છ, દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.