જાણો કચ્છના એવા ખેડૂતની કહાણી જેને ખાવાના હતા સાંસા અને તેમને બનાવી દીધો કરોડોનો દાતા| Electoral Bondમાં ગરીબને લૂંટી લીધો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 14:49:10

કચ્છના બિપિન મણિલાલ વેગડ અને સવાભાઈ કારાભાઈ મણવરની એક સવાર આંચકા સાથે થઈ, જ્યારે ઈલેક્ટોરબલ બોન્ડની યાદીમાં એમનું નામ 11 કરોડના દાતા તરીકે આવ્યું. એસબીઆઈએ સતત સુપ્રીમ કૉર્ટની ફટકાર પછી ઈલેક્ટોરલ બોન્ડમાં કોણે કેટલું દાન આપ્યું એનો ડેટા જાહેર કર્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ગામડાઓમાં સાવ સાદાઈથી જીવન જીવતા અને થોડા વર્ષો પહેલા તો સાવ ગરીબની શ્રેણીમાં આવતા બે ખેડૂતોએ ભાજપને 11 કરોડનું દાન કર્યું હશે. જેને થોડા વર્ષો પહેલા હતા ખાવાના સાંસા એ કેવી રીતે બન્યા 11 કરોડના બોન્ડના દાતા... આ સ્ટોરીમાં આજે વિસ્તારથી તમને આખુ કૌભાંડ, છેતરામણી, ગરીબ ખેડૂતને પણ ના છોડતી માનસીકતાની કહાની બતાવવી છે.


એક સમય જેને ખાવાના ફાંફા હોય તે જ્યારે કરોડો રૂપિયાનો દાતા સાબિત થાય ત્યારે સવાલ થાય કે શું ભોળા લોકોને ફસાવવા આટલા સરળ છે? આ ઘટનામાં પણ ખેડૂતને મનાવી, સમજાવી તેની પાસેથી કરોડોના બોન્ડ ખરીદાવવામાં આવે છે માત્ર એટલા માટે કે હાઈકમાન્ડ ખુશ થઈ જાય? એવું બતાવવા માટે અમે આટલું દાન અપાવડાયું તે બતાવવા માટે? આ કેસમાં જે લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે તેમાં તે વખતના ભાજપના શહેર પ્રમુખના નામનો સમાવેશ થાય છે તે ઉપરાંત બીજા અનેક લોકો છે જેમના વિરૂદ્ધ ફરિયાદ થઈ છે તેમાં તત્કાલીન જમીન સંપાદન અધિકારી, વેલ્સન કંપનીના અનેક લોકોના નામનો ઉલ્લેખ છે.

   



પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ અંજાર શહેર ભાજપના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ, જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ. વિ.કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશી તેમજ વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચરી ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા સહિતના લોકોએ ખેડૂતોને લાલચ આપી. વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર તેમજ ખમું કારાના પરિવારને તેમની જમીન સંપાદન કરીને વેલસ્પન SEZ લિમિટેડ કંપની દ્વારા જમીન સંપાદન અધિકારીના માધ્યમથી 16 કરોડ 61 લાખ આપવાનો એવોર્ડ મળ્યો હતો. વેલસ્પન SEZ દ્વારા અગાઉ 2.80 કરોડનું વળતર અગાઉથી ચૂકવી દેવામાં આવ્યું હોવાથી એવોર્ડ મળ્યા બાદ તેમને આશરે 13.81 કરોડ ચૂકવવાના થતા હતા. 


ખેડૂતની સંડોવણીમાં ક્યાંથી આવી તેની વાત કરીએ તો કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેમના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટમાં વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવરની જમીન વચ્ચે આવતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાને પગલે તેને સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. આ વાત સરકાર સુધી પહોંચી અને કચ્છ કલેક્ટર કક્ષાએ આ જમીનનું મુલ્યાંકન કરવામાં આવ્યું અને તેની કિંમત આવી 76 કરોડ... થોડા સમય માટે આખી પ્રક્રિયાને થોડા સમય માટે અટકાવાઈ દેવાઈ. થોડા સમય બાદ પ્રક્રિયા ફરી શરુ કરાઈ. આ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જોશીની બદલી અમદાવાદ ખાતે થઈ અને તેમની બદલીમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે મેહુલ દેસાઈ નામના અધિકારીએ ચાર્જ સંભાળ્યો. 



નવા આવેલા અધિકારી મેહુલ દેસાઈએ  17મી ઓગસ્ટ,2023ના રોજ એક વર્ષની નિયત મર્યાદા પુરી થાય તે પહેલા જ 14મી ઓગસ્ટ,2023ના રોજ કચ્છ કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ લેન્ડ વેલ્યુએશન કમિટીના જુના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય 76 કરોડને બદલે 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. અને તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે. 



આ ઘટનાને ત્રણેક મહિનાનો સમય પસાર થયો પરંતુ તેમને વળતર ના મળ્યું જેને કારણે ખેડૂતના પરિવારજનોને શંકા ગઈ. એટલે તેમણે બોન્ડની રકમ કયારે મળશે તે અંગે પૂછવાનું શરુ કર્યું.આ દરમિયાન સુપ્રિમ કોર્ટના આદેશને પગલે જ્યારે SBI બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું અને ત્યારે તેમને ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડના રૂપે ખરીદાયા અને સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઇ ગયા. 



મહત્વનું છે કે જે રાજ્યમાં જે પાર્ટીની સત્તા છે ત્યાં પાર્ટીને મોટા પ્રમાણમાં મોટી મોટી કંપની દ્વારા ફન્ડ આપવામાં આવ્યું છે. સૌથી વધારે ફંડ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. તે બાદ ટીએમસીને તેમજ ડીએમકેને કરોડોનું ગુપ્ત દાન મળ્યું છે. ભાજપ બાદ સૌથી વધારે દાન મેળવનાર પાર્ટી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ નથી પરંતુ ડોનેશન લેવાની બાબતમાં મમતાની પાર્ટી ટીએમસી બીજેપી પછી બીજા નંબર પર છે. માહિતી અનુસાર, ટીએમસીને ચૂંટણી બોન્ડના રૂપમાં કરોડોનું દાન મળ્યું છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.