જાણો રાજ્ય માટે હવામાન વિભાગે શું કરી આગાહી, કમોસમી વરસાદની શક્યતા નહીંવત


  • Published By :
  • Published Date : 2023-01-31 10:08:23

રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું જેને કારણે વિઝિબિલિટિ પણ ઘટી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતીઓને ઠંડી થી થોડી આંશિક રાહત મળશે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે. 


માવઠાને કારણે ખેડૂતોની વધી ચિંતા 

બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદ, ઉત્તર ગુજરાત , મહેમદાવાદ, પાવી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.     


થોડા દિવસો સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો 

કમોસમી વરસાદને કારણે આગામી બે ત્રણ દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને ડિસામાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા સૌથી ઠંઠુગાર નોંધાયું છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.