જાણો રાજ્ય માટે હવામાન વિભાગે શું કરી આગાહી, કમોસમી વરસાદની શક્યતા નહીંવત


  • Published By :
  • Published Date : 2023-01-31 10:08:23

રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું જેને કારણે વિઝિબિલિટિ પણ ઘટી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતીઓને ઠંડી થી થોડી આંશિક રાહત મળશે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે. 


માવઠાને કારણે ખેડૂતોની વધી ચિંતા 

બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદ, ઉત્તર ગુજરાત , મહેમદાવાદ, પાવી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.     


થોડા દિવસો સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો 

કમોસમી વરસાદને કારણે આગામી બે ત્રણ દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને ડિસામાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા સૌથી ઠંઠુગાર નોંધાયું છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.