જાણો રાજ્ય માટે હવામાન વિભાગે શું કરી આગાહી, કમોસમી વરસાદની શક્યતા નહીંવત


  • Published By :
  • Published Date : 2023-01-31 10:08:23

રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું જેને કારણે વિઝિબિલિટિ પણ ઘટી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતીઓને ઠંડી થી થોડી આંશિક રાહત મળશે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે. 


માવઠાને કારણે ખેડૂતોની વધી ચિંતા 

બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદ, ઉત્તર ગુજરાત , મહેમદાવાદ, પાવી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.     


થોડા દિવસો સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો 

કમોસમી વરસાદને કારણે આગામી બે ત્રણ દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને ડિસામાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા સૌથી ઠંઠુગાર નોંધાયું છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.