જાણો ક્યારે થશે હોલીકાદહન? ક્યારે ભરવી પૂનમ? શા માટે છાણાનો કરાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-06 09:05:14

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળી ક્યારે પ્રગટાવવી તે અંગે અસમંજસ છે કારણ કે પૂનમ 6 માર્ચ અને 7 માર્ચના રોજ છે. પરંતુ હોળીકા દહન સાંજના સમયે કરવામાં આવે છે જેને કારણે 6 માર્ચ સાંજે હોળીકા દહન કરવામાં આવશે. પરંતુ પૂનમની ઉદિત તિથી મંગળવારે છે.  જેને કારણે ભરવા વાળી પૂનમ મંગળવારે થશે. 

Holi 2023: When Is Holi 7 Or 8 March? Note The Correct Date And Auspicious  Time Of Holika Dahan | Holi 2023: હોળી 7 કે 8 માર્ચ ક્યારે છે? હોલિકા દહનની  સાચી તારીખ અને શુભ સમય નોંધો

ક્યારે કરવું હોળીકાદહન?

હિંદુ ધર્મમાં તિથીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યોદય બાદ આપણે તિથી માન્ય રાખીએ છીએ.તિથીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં સવારથી જો પૂનમ હોય તો તે જ દિવસે હોળીકા દહન કરવું જોઈએ. ઉપરાંત સૂર્યાસ્તના સમયે જ્યારે ભદ્રા ન હોય ત્યારે હોળીકાદહન કરી લેવું જોઈએ. ભદ્રા એક કરણનું નામ છે અને તિથીના અડધા ભાગને કરણ કહેવાય છે. જો બે દિવસે પ્રદોષ સમયે પૂનમ હોય તો બીજા દિવસે હોળીકા દહન કરવું જોઈએ. જો પહેલા દિવસે જ્યારે પૂનમ થતી હોય અને બીજા દિવસે સાંજ સુધી પૂનમ ન હોય તો બીજા દિવસે સાડા ત્રણ પ્રહર એટલે કે સાંજ સુધી પૂનમ હોય અને સૂર્યાસ્ત પછી એકમ થતી હોય તો બીજા દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. જો બીજી દિવસે સૂર્યાસ્ત પછી પૂનમ ના હો. અને પહેલા દિવસે મધ્યરાત્રી પહેલા ભદ્રા સમાપ્ત થાય પછી હોળી પ્રગટાવવી જોઈએ. 



શા માટે હોળીકા દહનમાં કરાય છે ગાયના છાણાનો ઉપયોગ  

હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના છાણાના અનેક ફાયદા છે. ગાયનું છાણ ઓષધી તરીકે કામ કરે છે. તેમાં ઘણા તત્વો હોય છે જે હાનિકારક જંતુઓને સમાપ્ત કરવામાં મદદ કરે છે. ધુમાડાની વાત કરવામાં આવે તો હોળીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો ધાર્મિક મહત્વની વાત કરીએ તો છાણામાંથી નીકળતા ધૂમાડાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગાયના છાણાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ  કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ જેવા અથવા કોઈ પણ બીમારી સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે ગાયના છાણાને સળગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયના છાણ સાથે કપુરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કપુરને સળગાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.