જાણો ક્યારે થશે હોલીકાદહન? ક્યારે ભરવી પૂનમ? શા માટે છાણાનો કરાય છે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-06 09:05:14

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળી ક્યારે પ્રગટાવવી તે અંગે અસમંજસ છે કારણ કે પૂનમ 6 માર્ચ અને 7 માર્ચના રોજ છે. પરંતુ હોળીકા દહન સાંજના સમયે કરવામાં આવે છે જેને કારણે 6 માર્ચ સાંજે હોળીકા દહન કરવામાં આવશે. પરંતુ પૂનમની ઉદિત તિથી મંગળવારે છે.  જેને કારણે ભરવા વાળી પૂનમ મંગળવારે થશે. 

Holi 2023: When Is Holi 7 Or 8 March? Note The Correct Date And Auspicious  Time Of Holika Dahan | Holi 2023: હોળી 7 કે 8 માર્ચ ક્યારે છે? હોલિકા દહનની  સાચી તારીખ અને શુભ સમય નોંધો

ક્યારે કરવું હોળીકાદહન?

હિંદુ ધર્મમાં તિથીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યોદય બાદ આપણે તિથી માન્ય રાખીએ છીએ.તિથીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં સવારથી જો પૂનમ હોય તો તે જ દિવસે હોળીકા દહન કરવું જોઈએ. ઉપરાંત સૂર્યાસ્તના સમયે જ્યારે ભદ્રા ન હોય ત્યારે હોળીકાદહન કરી લેવું જોઈએ. ભદ્રા એક કરણનું નામ છે અને તિથીના અડધા ભાગને કરણ કહેવાય છે. જો બે દિવસે પ્રદોષ સમયે પૂનમ હોય તો બીજા દિવસે હોળીકા દહન કરવું જોઈએ. જો પહેલા દિવસે જ્યારે પૂનમ થતી હોય અને બીજા દિવસે સાંજ સુધી પૂનમ ન હોય તો બીજા દિવસે સાડા ત્રણ પ્રહર એટલે કે સાંજ સુધી પૂનમ હોય અને સૂર્યાસ્ત પછી એકમ થતી હોય તો બીજા દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. જો બીજી દિવસે સૂર્યાસ્ત પછી પૂનમ ના હો. અને પહેલા દિવસે મધ્યરાત્રી પહેલા ભદ્રા સમાપ્ત થાય પછી હોળી પ્રગટાવવી જોઈએ. 



શા માટે હોળીકા દહનમાં કરાય છે ગાયના છાણાનો ઉપયોગ  

હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના છાણાના અનેક ફાયદા છે. ગાયનું છાણ ઓષધી તરીકે કામ કરે છે. તેમાં ઘણા તત્વો હોય છે જે હાનિકારક જંતુઓને સમાપ્ત કરવામાં મદદ કરે છે. ધુમાડાની વાત કરવામાં આવે તો હોળીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો ધાર્મિક મહત્વની વાત કરીએ તો છાણામાંથી નીકળતા ધૂમાડાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગાયના છાણાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ  કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ જેવા અથવા કોઈ પણ બીમારી સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે ગાયના છાણાને સળગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયના છાણ સાથે કપુરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કપુરને સળગાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.