જાણો શા માટે 21 નવેમ્બરે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-21 13:37:29

દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 ડિસેમ્બર 1996માં જાહેરાત કરી કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવશે. 

World Telesion Day

આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે પરંતુ આપણા જીવનમાં ટેલિવિઝનનું વિશેષ સ્થાન રહેલું છે. પરંતુ જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર થયો તે સમય દરમિયાન રેડિયો માત્ર મનોરંજનનું સાધન હતું. રેડિયોની બોલબાલા વચ્ચે ટીવીની શરૂઆત થતા લોકોએ ટીવીને લઈ વિરોધ કર્યો હતો. પરંતુ સમયની સાથે સાથે લોકોની રૂચી ટીવી પ્રત્યે વધવા લાગી. અને ટીવીએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન લઈ લીધું હતું. 

World Television Day: Celebrating The Technology That Ushered Us Into The  21st Century — The Second Angle

ટેક્નોલોજી જેમ જેમ વિકસીત થતી રહી તેમ તેમ ટીવીની સાઈઝમાં પણ ચેન્જ આવવા લાગ્યો છે. આપણા જીવન પર અને સમાજ પર ટેલિવિઝનની ઘણી અસર પડે છે. ટીવીમાં જે માહિતી આપવામાં આવે છે તેની સીધી અસર આપણા જીવન પર થતી હોય છે. ટીવી પર માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવે છે. આપણા જીવનમાં વધતા ટેલિવિઝનનું મહત્વ જોતા વર્લ્ડ ટેલિવિઝન ફોરમની રચના કરવામાં આવી હતી. આ ફોરમ બનાવા પાછળનો ઉપદેશ્ય એ હતો કે બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો હતો. 




એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.