જાણો શા માટે 21 નવેમ્બરે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:37:29

દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 ડિસેમ્બર 1996માં જાહેરાત કરી કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવશે. 

World Telesion Day

આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે પરંતુ આપણા જીવનમાં ટેલિવિઝનનું વિશેષ સ્થાન રહેલું છે. પરંતુ જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર થયો તે સમય દરમિયાન રેડિયો માત્ર મનોરંજનનું સાધન હતું. રેડિયોની બોલબાલા વચ્ચે ટીવીની શરૂઆત થતા લોકોએ ટીવીને લઈ વિરોધ કર્યો હતો. પરંતુ સમયની સાથે સાથે લોકોની રૂચી ટીવી પ્રત્યે વધવા લાગી. અને ટીવીએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન લઈ લીધું હતું. 

World Television Day: Celebrating The Technology That Ushered Us Into The  21st Century — The Second Angle

ટેક્નોલોજી જેમ જેમ વિકસીત થતી રહી તેમ તેમ ટીવીની સાઈઝમાં પણ ચેન્જ આવવા લાગ્યો છે. આપણા જીવન પર અને સમાજ પર ટેલિવિઝનની ઘણી અસર પડે છે. ટીવીમાં જે માહિતી આપવામાં આવે છે તેની સીધી અસર આપણા જીવન પર થતી હોય છે. ટીવી પર માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવે છે. આપણા જીવનમાં વધતા ટેલિવિઝનનું મહત્વ જોતા વર્લ્ડ ટેલિવિઝન ફોરમની રચના કરવામાં આવી હતી. આ ફોરમ બનાવા પાછળનો ઉપદેશ્ય એ હતો કે બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો હતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.