જાણો શા માટે 21 નવેમ્બરે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:37:29

દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 ડિસેમ્બર 1996માં જાહેરાત કરી કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવશે. 

World Telesion Day

આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે પરંતુ આપણા જીવનમાં ટેલિવિઝનનું વિશેષ સ્થાન રહેલું છે. પરંતુ જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર થયો તે સમય દરમિયાન રેડિયો માત્ર મનોરંજનનું સાધન હતું. રેડિયોની બોલબાલા વચ્ચે ટીવીની શરૂઆત થતા લોકોએ ટીવીને લઈ વિરોધ કર્યો હતો. પરંતુ સમયની સાથે સાથે લોકોની રૂચી ટીવી પ્રત્યે વધવા લાગી. અને ટીવીએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન લઈ લીધું હતું. 

World Television Day: Celebrating The Technology That Ushered Us Into The  21st Century — The Second Angle

ટેક્નોલોજી જેમ જેમ વિકસીત થતી રહી તેમ તેમ ટીવીની સાઈઝમાં પણ ચેન્જ આવવા લાગ્યો છે. આપણા જીવન પર અને સમાજ પર ટેલિવિઝનની ઘણી અસર પડે છે. ટીવીમાં જે માહિતી આપવામાં આવે છે તેની સીધી અસર આપણા જીવન પર થતી હોય છે. ટીવી પર માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવે છે. આપણા જીવનમાં વધતા ટેલિવિઝનનું મહત્વ જોતા વર્લ્ડ ટેલિવિઝન ફોરમની રચના કરવામાં આવી હતી. આ ફોરમ બનાવા પાછળનો ઉપદેશ્ય એ હતો કે બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો હતો. 




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .