જાણો શા માટે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ગણતંત્ર દિવસ? ક્યારે તૈયાર કરાયું હતું સંવિધાન?


  • Published By :
  • Published Date : 2023-01-26 14:50:15

26મી જાન્યુઆરીના દિવસે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. 26 જાન્યુઆરીના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે ભારત લોકતાંત્રિક દેશ બન્યું હતું. ભારતનું  સંવિધાન દુનિયાનું લાંબુ હસ્તલિખીત સંવિધાન છે. આપણા સંવિધાનની પુસ્તકને કે ગેસ ચેમ્બરમાં સાચવીને રાખવામાં આવી છે.  

भारत का संविधान


1949માં સંવિધાન અપનાવાયું  

15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. પરંતુ ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ 74મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1949ના રોજ સંવિધાનને અપનાવામાં આવ્યું હતું.   

भारत का संविधान


26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું સંવિધાન 

નવેમ્બર 1949માં સંવિધાન સભાએ સંવિધાનને અપવાની લીધું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે જો સંવિધાન નવેમ્બરમાં અપનાવામાં આવ્યું હતું તો જાન્યુઆરીમાં લાગુ કેમ કરવામાં આવ્યું? તો જવાબ એ છે કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરી લીધું હતું. આ દિવસને યાદ કરવા 26 જાન્યુઆરી 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન લાગુ કરવામાં આવતા ભારત લોકતાંત્રિક દેશ બની ગયો હતો.     


વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં સચવાયું છે સંવિધાન

ભારતનું સંવિધાન હસ્તલિખિત સંવિધાન છે જેને કારણે બીજા બધા દેશો કરતા સંવિધાન અલગ છે. મૂળ કૃતિમાં સંવિધાનના દરેક પાનામાં સોનાની પાંદડી વાળી ફ્રેમ છે. હાથથી બનેલા કાગળો પર સંવિધાન લખવામાં આવ્યું હતું. સંવિધાનની મૂળભૂત કૃતિને સાચવવા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 90ના દાયકાથી સંવિધાનની મૂળ કૃતિને સંસદભવનના પુસ્તકાલયમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં પુસ્તકને સુરક્ષિત રાખવામાં આવી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.