જાણો શા માટે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ગણતંત્ર દિવસ? ક્યારે તૈયાર કરાયું હતું સંવિધાન?


  • Published By :
  • Published Date : 2023-01-26 14:50:15

26મી જાન્યુઆરીના દિવસે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. 26 જાન્યુઆરીના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે ભારત લોકતાંત્રિક દેશ બન્યું હતું. ભારતનું  સંવિધાન દુનિયાનું લાંબુ હસ્તલિખીત સંવિધાન છે. આપણા સંવિધાનની પુસ્તકને કે ગેસ ચેમ્બરમાં સાચવીને રાખવામાં આવી છે.  

भारत का संविधान


1949માં સંવિધાન અપનાવાયું  

15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. પરંતુ ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ 74મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1949ના રોજ સંવિધાનને અપનાવામાં આવ્યું હતું.   

भारत का संविधान


26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું સંવિધાન 

નવેમ્બર 1949માં સંવિધાન સભાએ સંવિધાનને અપવાની લીધું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે જો સંવિધાન નવેમ્બરમાં અપનાવામાં આવ્યું હતું તો જાન્યુઆરીમાં લાગુ કેમ કરવામાં આવ્યું? તો જવાબ એ છે કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરી લીધું હતું. આ દિવસને યાદ કરવા 26 જાન્યુઆરી 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન લાગુ કરવામાં આવતા ભારત લોકતાંત્રિક દેશ બની ગયો હતો.     


વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં સચવાયું છે સંવિધાન

ભારતનું સંવિધાન હસ્તલિખિત સંવિધાન છે જેને કારણે બીજા બધા દેશો કરતા સંવિધાન અલગ છે. મૂળ કૃતિમાં સંવિધાનના દરેક પાનામાં સોનાની પાંદડી વાળી ફ્રેમ છે. હાથથી બનેલા કાગળો પર સંવિધાન લખવામાં આવ્યું હતું. સંવિધાનની મૂળભૂત કૃતિને સાચવવા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 90ના દાયકાથી સંવિધાનની મૂળ કૃતિને સંસદભવનના પુસ્તકાલયમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં પુસ્તકને સુરક્ષિત રાખવામાં આવી છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.