જાણો શા માટે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ગણતંત્ર દિવસ? ક્યારે તૈયાર કરાયું હતું સંવિધાન?


  • Published By :
  • Published Date : 2023-01-26 14:50:15

26મી જાન્યુઆરીના દિવસે આપણે ગણતંત્ર દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. 26 જાન્યુઆરીના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે ભારત લોકતાંત્રિક દેશ બન્યું હતું. ભારતનું  સંવિધાન દુનિયાનું લાંબુ હસ્તલિખીત સંવિધાન છે. આપણા સંવિધાનની પુસ્તકને કે ગેસ ચેમ્બરમાં સાચવીને રાખવામાં આવી છે.  

भारत का संविधान


1949માં સંવિધાન અપનાવાયું  

15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. પરંતુ ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશ 74મો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 1949ના રોજ સંવિધાનને અપનાવામાં આવ્યું હતું.   

भारत का संविधान


26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું સંવિધાન 

નવેમ્બર 1949માં સંવિધાન સભાએ સંવિધાનને અપવાની લીધું હતું. પરંતુ પ્રશ્ન એ થાય કે જો સંવિધાન નવેમ્બરમાં અપનાવામાં આવ્યું હતું તો જાન્યુઆરીમાં લાગુ કેમ કરવામાં આવ્યું? તો જવાબ એ છે કે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કરી લીધું હતું. આ દિવસને યાદ કરવા 26 જાન્યુઆરી 1950માં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન લાગુ કરવામાં આવતા ભારત લોકતાંત્રિક દેશ બની ગયો હતો.     


વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં સચવાયું છે સંવિધાન

ભારતનું સંવિધાન હસ્તલિખિત સંવિધાન છે જેને કારણે બીજા બધા દેશો કરતા સંવિધાન અલગ છે. મૂળ કૃતિમાં સંવિધાનના દરેક પાનામાં સોનાની પાંદડી વાળી ફ્રેમ છે. હાથથી બનેલા કાગળો પર સંવિધાન લખવામાં આવ્યું હતું. સંવિધાનની મૂળભૂત કૃતિને સાચવવા વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 90ના દાયકાથી સંવિધાનની મૂળ કૃતિને સંસદભવનના પુસ્તકાલયમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા ચેમ્બરમાં પુસ્તકને સુરક્ષિત રાખવામાં આવી છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.