‘ટૉવર ઑફ લંડન’ના પ્રદર્શનમાં મૂકાયો કોહિનુર હીરો! કોહિનુર માટે ભારત દ્વારા કરાતા દાવા અંગે રોયલ ફેમિલીના પ્રદર્શનમાં સ્વીકારાયું! લખાયું કે..


  • Published By :
  • Published Date : 2023-06-03 18:42:34

આપણે જ્યારે કોહિનુર હીરાની વાત કરીએ તો આપણને એક જ વસ્તુ યાદ આવે કે અંગ્રેજો બળજબરીથી કોહિનુરને પોતાની સાથે લઈ ગયા હતા. આ વાતને લઈ અનેક વખત ચર્ચા પણ થઈ હતી પરંતુ હવે આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી.  


ટાવર ઓફ લંડનમાં કરાયું કોહિનુર હીરાનું પ્રદર્શન!

બ્રિટનના રાણી એલિઝાબેથના તાજ પર ભારતનો કોહિનુર હીરો આજે પણ જોવા મળે છે. ભારત દ્વારા કોહિનુરને લઈ દાવા કરવામાં આવે છે. ભારત પરત લાવવા સરકાર દ્વારા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટાવર ઓફ લંડનમાં એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ પ્રદર્શનીમાં અનેક કિંમતી હીરાઓ તેમજ ઝવેરાતોને રાખવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધારે ધ્યાન કોહિનુર હીરા માટે લખવામાં આવેલા લખાણે ખેંચ્યું હતું. 



દિલીપ સિંહ સમક્ષ મૂકાઈ હતી કોહિનુર હીરો સોંપવાની શરત! 

કોહિનુર હીરાને લઈ કરવામાં આવેલા લખાણમાં જાણે ભારત જે દાવો કરી રહ્યું છે તેને સાચો સાબિત કરી રહ્યું છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. અને લાહોર સંધી હેઠળ દિલીપ સિંહ સમક્ષ કોહિનુર હીરો સોંપવાની શરત મૂકવામાં આવી હતી. મહત્વનું છે કે આ લખાણ બકિંગહામ પેલેસના રોયલ કલેક્શન ટ્ર્સ્ટની મંજૂરી લીધા બાદ જ લખવામાં આવ્યું હશે. આ પ્રદર્શનમાં અનેક વીડિયો તેમજ પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યા હતા જેમાં કોહિનુર હીરાનો ઈતિહાસ બતાવવામાં આવ્યો હતો.         

 


'વિજય પ્રતીક' તરીકે મૂકવામાં આવ્યો છે કોહિનુર! 

પ્રદર્શનીમાં જે ફિલ્મ બતાવવામાં આવી તેમાં કોહિનુરનો ઈતિહાસ પણ દર્શાવવામાં આવ્યો. સમગ્ર ઈતિહાસ ગ્રાફિકના મેપની મદદથી બતાવવામાં આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, ‘આ વિજયના પ્રતીક તરીકે પોતાના લાંબા ઈતિહાસને સંદર્ભિત કરે છે, જે મુગલ સમ્રાટો, ઈરાનના શાહો, અફઘાનિસ્તાનના અમીરો અને શીખ મહારાજાઓના હાથોમાંથી પસાર થયો છે. અમે તેને પ્રદર્શનીમાં રાખતા પહેલા વ્યાપક શોધ તેમજ સ્થાનીક લોકો, સામુદાયિક સમૂહો અને વિશેષજ્ઞ શિક્ષાવિદો સાથે પરામર્શ કર્યું.’તેના લેબલ પર લખ્યું છે, ‘લાહોરની 1849ની સંધિથી 10 વર્ષીય મહારાજા દિલીપ સિંહ પંજાબના નિયંત્રણ સાથે-સાથે હીરાને રાણી વિક્ટોરિયાને સોંપવા માટે મજબૂર થયા. 


ગ્રાફિક્સ દ્વારા બતાવવામાં આવ્યો છે કોહિનુરનો ઈતિહાસ!

વિજયના પ્રતીક તરીકે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. કોહિનુરને ગોલકુંડાની ખાણમાંથી કાઢવામાં આવ્યો છે તેવી માહિતી ગ્રાફિક્સમાં બતાવવામાં આવી છે. તે બાદ મહારાજા દિલીપ સિંહ એક તસવીરમાં તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપતા દેખાય છે. બીજી એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં કોહિનુર બ્રિટનની રાણીના તાજમાં જોવા મળે છે. આ પ્રદર્શન કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક વખતે લંડનના ટાવરમાં યોજાયો હતો.   


વિવાદોમાં ઘેરાયેલો છે કોહિનુર હીરાનો ઈતિહાસ!

કોહિનુર હીરાને લઈ અલગ અલગ દેશોએ પોતાનો હોવાનો દાવો કર્યો છે. કોહિનુર હીરાનો ઈતિહાસ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોહિનુર અંગે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુગલ રાજા મોહમ્મદ શાહ રંગીલા પાસેથી હીરો ફારસના રાજા નાદિર પાસે આવ્યો હતો. તે બાદ બળજબરીથી અફઘાની હુમલાખોર અહેમદ શાહે નાદિર પાસેથી છીનવી લીધો હતો. તે બાદ તે હીરો મહારાણા રણજીત સિંહે અફઘાનિસ્તાનના અમીર શાહ પાસેથી હીરો મેળવ્યો હતો. તે બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોર્ડ ડલહોજી અને મહારાણા દિલીપ સિંહ વચ્ચે સમજૂતી થઈ હતી અને કોહિનુર હીરાને સમજોતી અંતર્ગત આપી દેવામાં આવ્યો હતો. આ મામલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાણા રણજિત સિંહે રાણી વિક્ટોરિયાને ભેટ આપી હતી.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.