અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી જોડાયા AAPમાં


  • Published By :
  • Published Date : 2022-10-30 15:02:51

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. આપ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ખેસ પહેરાવી અરવિંદ કેજરીવાલે કર્યું સ્વાગત 

કોળી સમાજના આગેવાનનું સ્વાગત અરવિંદ કેજરીવાલે AAPનો ખેસ પહેરાવી કર્યું હતું. જ્યારે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીનું સ્વાગત ભગવંત માને કર્યું હતું. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સમાજના પ્રખ્યાત તથા લોકોની સતત સેવા કરતા હોય તેવા દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જનતાને અમારા પર વિશ્વાસ છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"