કોન બનેગા કરોડપતિના સીઝન 14 પહેલાં કરોડપતિ મળી ગયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:13:57

KBC ( કોણ બનેગા કરોડપતિ) સિન 14ને પોતાની પેહલી કરોડપતિ મળી ગઈ છે. મહારાષ્ટ્રના કવિતા ચાવલાએ જબરજસ્ત પર્ફોમન્સ આપી ને 1 કરોડ રૂપિયા જીત્યા છે . કવિતાબેન માટે આ જીત ખૂબ મોટી છે. કવિતાબેન માત્ર 12 ચોપડી ભણેલા છે પરંતુ તેમણે પોતાની મેહનત અને દ્રઢ  નિશ્ચય સાથે અભ્યાસ કર્યા એટલે તેમને જીત મળી.

 

કવિતાબેનનું સપનું 

કવિતાબેન આજે જે જગ્યાએ છે તેમને ત્યાં પહોંચવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે KBCમાં આવવાનું સપનું વર્ષ 2000માં જોયું હતું. હવે 22 વર્ષની મેહનત તેમની સફળ થઈ. કવિતા સિંગલ પેરેન્ટ છે અને તેમણે 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આગળ ભણવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતાએ વધુ અભ્યાસ કરવાની મંજૂરી ન આપી અને તેમને ઘરકામ શીખવાની સલાહ આપી હતી. કવિતાએ જણાવ્યું કે તેઓ આ જીતેલી રકમથી પોતાનું તમામ દેવું ચૂકતે કરશે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.