કોન બનેગા કરોડપતિના સીઝન 14 પહેલાં કરોડપતિ મળી ગયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:13:57

KBC ( કોણ બનેગા કરોડપતિ) સિન 14ને પોતાની પેહલી કરોડપતિ મળી ગઈ છે. મહારાષ્ટ્રના કવિતા ચાવલાએ જબરજસ્ત પર્ફોમન્સ આપી ને 1 કરોડ રૂપિયા જીત્યા છે . કવિતાબેન માટે આ જીત ખૂબ મોટી છે. કવિતાબેન માત્ર 12 ચોપડી ભણેલા છે પરંતુ તેમણે પોતાની મેહનત અને દ્રઢ  નિશ્ચય સાથે અભ્યાસ કર્યા એટલે તેમને જીત મળી.

 

કવિતાબેનનું સપનું 

કવિતાબેન આજે જે જગ્યાએ છે તેમને ત્યાં પહોંચવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે KBCમાં આવવાનું સપનું વર્ષ 2000માં જોયું હતું. હવે 22 વર્ષની મેહનત તેમની સફળ થઈ. કવિતા સિંગલ પેરેન્ટ છે અને તેમણે 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આગળ ભણવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતાએ વધુ અભ્યાસ કરવાની મંજૂરી ન આપી અને તેમને ઘરકામ શીખવાની સલાહ આપી હતી. કવિતાએ જણાવ્યું કે તેઓ આ જીતેલી રકમથી પોતાનું તમામ દેવું ચૂકતે કરશે.   



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.