કોન બનેગા કરોડપતિના સીઝન 14 પહેલાં કરોડપતિ મળી ગયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:13:57

KBC ( કોણ બનેગા કરોડપતિ) સિન 14ને પોતાની પેહલી કરોડપતિ મળી ગઈ છે. મહારાષ્ટ્રના કવિતા ચાવલાએ જબરજસ્ત પર્ફોમન્સ આપી ને 1 કરોડ રૂપિયા જીત્યા છે . કવિતાબેન માટે આ જીત ખૂબ મોટી છે. કવિતાબેન માત્ર 12 ચોપડી ભણેલા છે પરંતુ તેમણે પોતાની મેહનત અને દ્રઢ  નિશ્ચય સાથે અભ્યાસ કર્યા એટલે તેમને જીત મળી.

 

કવિતાબેનનું સપનું 

કવિતાબેન આજે જે જગ્યાએ છે તેમને ત્યાં પહોંચવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે KBCમાં આવવાનું સપનું વર્ષ 2000માં જોયું હતું. હવે 22 વર્ષની મેહનત તેમની સફળ થઈ. કવિતા સિંગલ પેરેન્ટ છે અને તેમણે 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આગળ ભણવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતાએ વધુ અભ્યાસ કરવાની મંજૂરી ન આપી અને તેમને ઘરકામ શીખવાની સલાહ આપી હતી. કવિતાએ જણાવ્યું કે તેઓ આ જીતેલી રકમથી પોતાનું તમામ દેવું ચૂકતે કરશે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.