કૃષ્ણ જન્માષ્ટમી: દ્વારકામાં દિવાળી જેવો માહોલ, જગતમંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું


  • Published By :
  • Published Date : 2023-09-06 20:12:09

દ્વારકામાં આવેલા જગપ્રસિધ્ધ જગતમંદિરમાં કૃષ્ણ જન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને યુવાનો તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ વ્હાલાના વધામણા કરવા માટે આવી રહ્યા છે. મંદિરને લાઈટ, આસોપાલવ, કેળ અને વાંસના તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે. આખા ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢશે, જેમાં હજારો લોકો જોડાશે.મંદિરે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોને સુંદર રોશની વડે સુશોભિત કરવામાં આવ્યા છે.


દ્વારકાધીશનો 5250માં જન્મોત્સવ


દ્વારકામાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. ભગવાન દ્વારકાધીશના 5250માં જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે કાળીયા ઠાકોરના ધામ દ્વારકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના નવા વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે જ કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. આ વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. 


આ પ્રમાણે છે જગત મંદિરનો સમગ્ર કાર્યક્રમ?


દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે આવતીકાલે ગુરુવારે જગત મંદિર ખાતે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે, જે બાદ 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન (અભિષેક), 10 વાગ્યે સ્નાનભોગ (દર્શન બંધ), 10:30 કલાકે શૃંગાર ભોગ (દર્શન બંધ), 11 વાગ્યે શૃંગાર આરતી, 11:15 કલાકે ગ્વાલ ભોગ (દર્શન બંધ) 12 વાગ્યે રાજભોગ (દર્શન બંધ) અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી અનોસર (દર્શન બંધ) રહેશે. જે બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન બાદ સાડા 5 થી પોણા 6 વાગ્યા સુધી ઉત્થાપન ભોગ, 7:30 વાગ્યે સંધ્યા ભોગ, 7:45 કલાકે સંધ્યા આરતી દર્શન તેમજ સાડા 8 વાગ્યે શયન આરતી દર્શન પછી રાતે 9 કલાકે શયન (અનોસર) રહેશે.ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે રાતે 12 કલાકે આરતીના ભવ્ય દર્શન થશે. જે બાદ રાતે અઢી વાગ્યે શ્રીજી શયન (દર્શન બંધ) થશે. આ માટે મંદિર સમિતિ તેમજ પોલીસ તંત્ર દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી