વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું માગ કરી


  • Published By :
  • Published Date : 2023-01-18 13:22:19

ભાજપના નેતા અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી આર્થિક મુશ્કેલીઓ સંદર્ભે એક પત્ર લખી તેમની સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવાની વિનંતી કરી છે.


કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?


વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અવારનવાર વિદ્યાર્થીઓ અને તમના વાલીઓ ફરિયાદ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળતી આર્થિક સહાય છ-છ મહિના પછી પણ મળતી નથી. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે અંતે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ તેમના પત્રમાં CM ભૂપેન્દ્ર પટેલને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવાની માંગ કરી છે. તે ઉપરાંત કાનાણીએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને નિગમની કામગીરી સુધારવા માટે અપિલ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.