વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું માગ કરી


  • Published By :
  • Published Date : 2023-01-18 13:22:19

ભાજપના નેતા અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીના હિતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી આર્થિક મુશ્કેલીઓ સંદર્ભે એક પત્ર લખી તેમની સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવાની વિનંતી કરી છે.


કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?


વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને અવારનવાર વિદ્યાર્થીઓ અને તમના વાલીઓ ફરિયાદ કરતા હતા. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળતી આર્થિક સહાય છ-છ મહિના પછી પણ મળતી નથી. કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના કારણે અંતે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. કુમાર કાનાણીએ તેમના પત્રમાં CM ભૂપેન્દ્ર પટેલને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન આપવાની માંગ કરી છે. તે ઉપરાંત કાનાણીએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રીને નિગમની કામગીરી સુધારવા માટે અપિલ કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.