સુરતના કામરેજમાં La Pinoz Pizza રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળતા હોબાળો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-16 21:09:22

જો  તમે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પીઝા ખાવાના શોખિન છો તો તમારે હવેથી તે પીઝા ખાતા પહેલા બે વખત વિચારવું પડશે. આજકાલ યુવાનો ઘર કરતા બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે પરતું આ પીઝા સ્વાસ્થ્ય માટે ઘણીવાર હાનિકારક બની રહે છે. સુરતના કામરેજ વિસ્તારના લા પીનોઝ પિઝામાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો તેમાથી વંદો મળી આવ્યો હતો. ત્યાર બાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લઇ લીધો હતો. બ્રાન્ડેડ પીઝાનાં નામે ગ્રાહકો પાસેથી બેફામ પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલમાં આ કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું છે સમગ્ર મામલો?


સુરત જિલ્લાન ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ આજ રોજ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પિઝાની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પિઝા ઓર્ડર કર્યો હતો. જોકે, ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટના સંચાલકને અને સ્ટાફને ફરિયાદ કરી હતી અને તમામનો ઉધડો લઇ નાખ્યો હતો. ગ્રાહકે ત્યારબાદ આખી ઘટનાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.


અગાઉ અમદાવાદમાં પણ સામે આવી હતી આવી ઘટનાઓ


ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMCનાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. .



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .