સુરતના કામરેજમાં La Pinoz Pizza રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળતા હોબાળો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-16 21:09:22

જો  તમે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પીઝા ખાવાના શોખિન છો તો તમારે હવેથી તે પીઝા ખાતા પહેલા બે વખત વિચારવું પડશે. આજકાલ યુવાનો ઘર કરતા બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે પરતું આ પીઝા સ્વાસ્થ્ય માટે ઘણીવાર હાનિકારક બની રહે છે. સુરતના કામરેજ વિસ્તારના લા પીનોઝ પિઝામાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો તેમાથી વંદો મળી આવ્યો હતો. ત્યાર બાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લઇ લીધો હતો. બ્રાન્ડેડ પીઝાનાં નામે ગ્રાહકો પાસેથી બેફામ પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હાલમાં આ કિસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું છે સમગ્ર મામલો?


સુરત જિલ્લાન ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ આજ રોજ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પિઝાની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પિઝા ઓર્ડર કર્યો હતો. જોકે, ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટના સંચાલકને અને સ્ટાફને ફરિયાદ કરી હતી અને તમામનો ઉધડો લઇ નાખ્યો હતો. ગ્રાહકે ત્યારબાદ આખી ઘટનાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.


અગાઉ અમદાવાદમાં પણ સામે આવી હતી આવી ઘટનાઓ


ઉલ્લેખનિય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો.  આ અગાઉ પર બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગત સપ્તાહે એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMCનાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.