લાલુ યાદવને CBIએ પાઠવ્યું સમન, નોકરીના બદલે જમીન કૌભાંડમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-03-06 22:09:25

રાષ્ટ્રિય જનતા દળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પૂછપરછ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં થોડા દિવસ પહેલા જ લાલુ યાદવને નોટીસ ફટકારી હતી. હવે સીબીઆઈ આ મામલે લાલુ યાદવની પૂછપરછ કરશે.

 

રાબડી દેવીની થઈ હતી પૂછપરછ


આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીની તેમના નિવાસસ્થાને સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી, સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાબડી દેવીએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી સહિત 14 આરોપીઓ છે. 15 માર્ચે મિસા અને રાબડી દેવીને કોર્ટેમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.


લાલુ યાદવ સામે આરોપ શું છે?


લાલુ યાદવ જ્યારે 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે રેલવે ભરતી કૌભાંડ થયું હતું. આ કૌંભાડમાં રેલ્વેની નોકરી ઈચ્છતા યુવાનો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. લાલુ યાદવ પર આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામ પર લેવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.