લાલુ યાદવને CBIએ પાઠવ્યું સમન, નોકરીના બદલે જમીન કૌભાંડમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-03-06 22:09:25

રાષ્ટ્રિય જનતા દળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પૂછપરછ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં થોડા દિવસ પહેલા જ લાલુ યાદવને નોટીસ ફટકારી હતી. હવે સીબીઆઈ આ મામલે લાલુ યાદવની પૂછપરછ કરશે.

 

રાબડી દેવીની થઈ હતી પૂછપરછ


આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીની તેમના નિવાસસ્થાને સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી, સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાબડી દેવીએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી સહિત 14 આરોપીઓ છે. 15 માર્ચે મિસા અને રાબડી દેવીને કોર્ટેમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.


લાલુ યાદવ સામે આરોપ શું છે?


લાલુ યાદવ જ્યારે 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે રેલવે ભરતી કૌભાંડ થયું હતું. આ કૌંભાડમાં રેલ્વેની નોકરી ઈચ્છતા યુવાનો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. લાલુ યાદવ પર આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામ પર લેવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.