લાલુ યાદવને CBIએ પાઠવ્યું સમન, નોકરીના બદલે જમીન કૌભાંડમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-03-06 22:09:25

રાષ્ટ્રિય જનતા દળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પૂછપરછ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં થોડા દિવસ પહેલા જ લાલુ યાદવને નોટીસ ફટકારી હતી. હવે સીબીઆઈ આ મામલે લાલુ યાદવની પૂછપરછ કરશે.

 

રાબડી દેવીની થઈ હતી પૂછપરછ


આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવના પત્ની રાબડી દેવીની તેમના નિવાસસ્થાને સીબીઆઈએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી, સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાબડી દેવીએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહોતો. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી સહિત 14 આરોપીઓ છે. 15 માર્ચે મિસા અને રાબડી દેવીને કોર્ટેમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.


લાલુ યાદવ સામે આરોપ શું છે?


લાલુ યાદવ જ્યારે 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા ત્યારે રેલવે ભરતી કૌભાંડ થયું હતું. આ કૌંભાડમાં રેલ્વેની નોકરી ઈચ્છતા યુવાનો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. લાલુ યાદવ પર આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામ પર લેવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.