પુત્રી રોહિણી આચાર્ય લાલુ યાદવને કિડની આપશે, સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


  • Published By :
  • Published Date : 2022-11-10 16:11:21

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે હું ડેસ્ટિનીનું બાળક છું અને મારા પિતાને મારી કિડની આપીને મને ખૂબ ગર્વ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનેક બીમારીઓ સામે લડી રહેલા લાલુનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. આવી સ્થિતિમાં રોહિણી આચાર્યએ આગળ આવીને તેના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.


સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


લાલુ યાદવ સિંગાપોરમાં કેટલીક જરૂરી તપાસ કરાવી પરત ફર્યા હતા. જો કે હવે તે કોર્ટની મંજુરી મળ્યા બાદ ફરી સિંગાપોર જશે. સિંગાપોરમાં હાલ રજાઓ ચાલી રહી હોવાથી 74 વર્ષીય લાલુ યાદવની સારવાર થઈ શકી નહોતી.  હવે પુત્રી કિડની આપતી હોવાથી લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી