પુત્રી રોહિણી આચાર્ય લાલુ યાદવને કિડની આપશે, સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


  • Published By :
  • Published Date : 2022-11-10 16:11:21

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે હું ડેસ્ટિનીનું બાળક છું અને મારા પિતાને મારી કિડની આપીને મને ખૂબ ગર્વ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનેક બીમારીઓ સામે લડી રહેલા લાલુનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. આવી સ્થિતિમાં રોહિણી આચાર્યએ આગળ આવીને તેના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.


સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


લાલુ યાદવ સિંગાપોરમાં કેટલીક જરૂરી તપાસ કરાવી પરત ફર્યા હતા. જો કે હવે તે કોર્ટની મંજુરી મળ્યા બાદ ફરી સિંગાપોર જશે. સિંગાપોરમાં હાલ રજાઓ ચાલી રહી હોવાથી 74 વર્ષીય લાલુ યાદવની સારવાર થઈ શકી નહોતી.  હવે પુત્રી કિડની આપતી હોવાથી લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.