પુત્રી રોહિણી આચાર્ય લાલુ યાદવને કિડની આપશે, સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


  • Published By :
  • Published Date : 2022-11-10 16:11:21

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે હા, એ વાત સાચી છે કે હું ડેસ્ટિનીનું બાળક છું અને મારા પિતાને મારી કિડની આપીને મને ખૂબ ગર્વ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અનેક બીમારીઓ સામે લડી રહેલા લાલુનું સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. આવી સ્થિતિમાં રોહિણી આચાર્યએ આગળ આવીને તેના પિતાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.


સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે


લાલુ યાદવ સિંગાપોરમાં કેટલીક જરૂરી તપાસ કરાવી પરત ફર્યા હતા. જો કે હવે તે કોર્ટની મંજુરી મળ્યા બાદ ફરી સિંગાપોર જશે. સિંગાપોરમાં હાલ રજાઓ ચાલી રહી હોવાથી 74 વર્ષીય લાલુ યાદવની સારવાર થઈ શકી નહોતી.  હવે પુત્રી કિડની આપતી હોવાથી લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.