વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુદ્દે કોંગ્રેસ પાસે 19 જાન્યુ સુધીનો સમય


  • Published By :
  • Published Date : 2023-01-11 12:22:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષ કોંગ્રેસના  સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપને 156 બેઠકો જ્યારે વિપક્ષ કોંગ્રેસના માત્ર  17 ધારાસભ્યો જીત્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલી હદે ખરાબ રહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તેને લઈ કોકડું ગુંચવાયું છે.


વિધાનસભા સચિવનો જગદીશ ઠાકોરને પત્ર


ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે મુદ્દે વિધાનસભા સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. સચિવે  તેમના પત્રમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ 19મી જાન્યુઆરી સુધીની સમય મર્યાદામાં મોકલી આપે. જો આ માટેની સમય અવધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા બનવા માટે વિવિધ નેતાઓએ ઇચ્છા દર્શાવી છે. આ સ્થિતીમાં કોંગ્રેસ માટે પણ અસમંજસની સ્થિતી સર્જાઈ છે.


કોણ છે રેસમાં?


વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ કોંગ્રેસના સૌથી સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ અનિચ્છા દર્શાવી છે. આ પદ માટે શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડને આ મામલે જાણ કરી છે. જો કે કોંગ્રેસના આંતરિક ખટરાગનાં પરિણામે વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી કરી શકાતી નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.