વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુદ્દે કોંગ્રેસ પાસે 19 જાન્યુ સુધીનો સમય


  • Published By :
  • Published Date : 2023-01-11 12:22:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષ કોંગ્રેસના  સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપને 156 બેઠકો જ્યારે વિપક્ષ કોંગ્રેસના માત્ર  17 ધારાસભ્યો જીત્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલી હદે ખરાબ રહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તેને લઈ કોકડું ગુંચવાયું છે.


વિધાનસભા સચિવનો જગદીશ ઠાકોરને પત્ર


ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે મુદ્દે વિધાનસભા સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. સચિવે  તેમના પત્રમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ 19મી જાન્યુઆરી સુધીની સમય મર્યાદામાં મોકલી આપે. જો આ માટેની સમય અવધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા બનવા માટે વિવિધ નેતાઓએ ઇચ્છા દર્શાવી છે. આ સ્થિતીમાં કોંગ્રેસ માટે પણ અસમંજસની સ્થિતી સર્જાઈ છે.


કોણ છે રેસમાં?


વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ કોંગ્રેસના સૌથી સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ અનિચ્છા દર્શાવી છે. આ પદ માટે શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડને આ મામલે જાણ કરી છે. જો કે કોંગ્રેસના આંતરિક ખટરાગનાં પરિણામે વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી કરી શકાતી નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.