વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુદ્દે કોંગ્રેસ પાસે 19 જાન્યુ સુધીનો સમય


  • Published By :
  • Published Date : 2023-01-11 12:22:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષ કોંગ્રેસના  સુપડા સાફ કરી નાખ્યા છે. ભાજપને 156 બેઠકો જ્યારે વિપક્ષ કોંગ્રેસના માત્ર  17 ધારાસભ્યો જીત્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન એટલી હદે ખરાબ રહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા પડી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તેને લઈ કોકડું ગુંચવાયું છે.


વિધાનસભા સચિવનો જગદીશ ઠાકોરને પત્ર


ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા તે મુદ્દે વિધાનસભા સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. સચિવે  તેમના પત્રમાં સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ 19મી જાન્યુઆરી સુધીની સમય મર્યાદામાં મોકલી આપે. જો આ માટેની સમય અવધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્યનું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા બનવા માટે વિવિધ નેતાઓએ ઇચ્છા દર્શાવી છે. આ સ્થિતીમાં કોંગ્રેસ માટે પણ અસમંજસની સ્થિતી સર્જાઈ છે.


કોણ છે રેસમાં?


વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ કોંગ્રેસના સૌથી સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ અનિચ્છા દર્શાવી છે. આ પદ માટે શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડને આ મામલે જાણ કરી છે. જો કે કોંગ્રેસના આંતરિક ખટરાગનાં પરિણામે વિરોધ પક્ષના નેતાના નામની પસંદગી કરી શકાતી નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.