ચૂંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કામ કરનારા ચોટીલા ભાજપના 10 નેતાઓ થશે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-13 12:05:51

ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી હાઈકમાન્ડનું આદેશનું અક્ષરસ: પાલન કરતા રહે છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓએ પક્ષ વિરોધી કાર્યવાહી  કરતા જણાયા હતા. વિધાનસભાની  ટિકિટ ન મળવાથી કે બીજા કારણોથી તેમણે ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. હવે આ નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી શક્યતા છે.


ચોટીલાના 10 પદાધિકારીઓને તેડું


ભાજપે નિમેલી શિસ્ત કમિટી સમક્ષ ચોટીલાના પાર્ટીના 10 પદાધિકારીઓ સામે ફરિયાદો થઈ હતી. હવે પાર્ટીઓ આ સ્થાનિક નેતાઓને આજે ગાંધીનગર બોલાવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા સીટ પર ભાજપને નુકસાન થાય એવું કાર્ય કરનારા હોદ્દેદારોમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત ગ્રામ્યના હોદ્દેદારો સહિત ભાજપનાં 10 હોદ્દેદારો સામે પ્રદેશ તરફથી કાર્યવાહી થઈ શકે છે. જીલ્લાની 5 વિધાનસભા ચૂંટણીમાં અમુક હોદ્દેદારોને ટીકીટ ન મળતાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હતી. 


ભાજપે અગાઉ પર કરી છે શિસ્તભંગની કાર્યવાહી


વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓએ પાર્ટી સામે જ બળવો પોકાર્યો હતો. આમાંથી કેટલાક નેતાઓ તો ચૂંટણી પણ લડ્યા હતા. ગત નવેમ્બર માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશથી વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.