ચૂંટણીમાં પાર્ટી વિરૂધ્ધ કામ કરનારા ચોટીલા ભાજપના 10 નેતાઓ થશે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-13 12:05:51

ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી હાઈકમાન્ડનું આદેશનું અક્ષરસ: પાલન કરતા રહે છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓએ પક્ષ વિરોધી કાર્યવાહી  કરતા જણાયા હતા. વિધાનસભાની  ટિકિટ ન મળવાથી કે બીજા કારણોથી તેમણે ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. હવે આ નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી શક્યતા છે.


ચોટીલાના 10 પદાધિકારીઓને તેડું


ભાજપે નિમેલી શિસ્ત કમિટી સમક્ષ ચોટીલાના પાર્ટીના 10 પદાધિકારીઓ સામે ફરિયાદો થઈ હતી. હવે પાર્ટીઓ આ સ્થાનિક નેતાઓને આજે ગાંધીનગર બોલાવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા સીટ પર ભાજપને નુકસાન થાય એવું કાર્ય કરનારા હોદ્દેદારોમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત ગ્રામ્યના હોદ્દેદારો સહિત ભાજપનાં 10 હોદ્દેદારો સામે પ્રદેશ તરફથી કાર્યવાહી થઈ શકે છે. જીલ્લાની 5 વિધાનસભા ચૂંટણીમાં અમુક હોદ્દેદારોને ટીકીટ ન મળતાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરી હતી. 


ભાજપે અગાઉ પર કરી છે શિસ્તભંગની કાર્યવાહી


વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓએ પાર્ટી સામે જ બળવો પોકાર્યો હતો. આમાંથી કેટલાક નેતાઓ તો ચૂંટણી પણ લડ્યા હતા. ગત નવેમ્બર માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશથી વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.