કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ નેતાઓ પહોંચ્યા હનુમાનજીના મંદિર! પ્રિયંકા ગાંધીએ કર્યા બજરંગબલીના દર્શન! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-13 12:40:30

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાનની મતગણતરી હાલ ચાલી રહી છે. કોંગ્રેસ હાલ ભાજપ તેમજ અનેક રાજકીય પાર્ટીઓ કરતા આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસની જીત પાકી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પીએમ મોદીએ 'જય બજરંગ બલી'ના નારા પણ અનેક જનસભાઓમાં લગાવ્યા હતા. આ બધા વચ્ચે કર્ણાટકમાં મતગણતરી થરૂ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હનુમાન મંદિરે પહોંચ્યા હતા.શિમલા ખાતે આવેલા હનુમાન મંદિરમાં પ્રિયંકા ગાંધીએ પૂજા કરી હતી અને હનુમાનજી આગળ માથું નમાવ્યું હતું. તે સિવાય સીએમ બસવરાજ બોમ્મઈ પણ હનુમાનજીના શરણે ગયા હતા.

          


બજરંગબલીના મંદિરે પહોંચ્યા નેતાઓ! 

ચૂંટણી પ્રચારમાં અનેક વખત રાજકીય પાર્ટી દ્વારા ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય. કર્ણાટકમાં બજરંગબલીને લઈ રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસ દ્વારા જે ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. જે બાદ આ વાતનો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી હનુમાનજીના શરણે ગયા છે. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ હનુમાનજીના દર્શન કર્યા હતા.   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.