કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ નેતાઓ પહોંચ્યા હનુમાનજીના મંદિર! પ્રિયંકા ગાંધીએ કર્યા બજરંગબલીના દર્શન! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-13 12:40:30

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાનની મતગણતરી હાલ ચાલી રહી છે. કોંગ્રેસ હાલ ભાજપ તેમજ અનેક રાજકીય પાર્ટીઓ કરતા આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસની જીત પાકી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પીએમ મોદીએ 'જય બજરંગ બલી'ના નારા પણ અનેક જનસભાઓમાં લગાવ્યા હતા. આ બધા વચ્ચે કર્ણાટકમાં મતગણતરી થરૂ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હનુમાન મંદિરે પહોંચ્યા હતા.શિમલા ખાતે આવેલા હનુમાન મંદિરમાં પ્રિયંકા ગાંધીએ પૂજા કરી હતી અને હનુમાનજી આગળ માથું નમાવ્યું હતું. તે સિવાય સીએમ બસવરાજ બોમ્મઈ પણ હનુમાનજીના શરણે ગયા હતા.

          


બજરંગબલીના મંદિરે પહોંચ્યા નેતાઓ! 

ચૂંટણી પ્રચારમાં અનેક વખત રાજકીય પાર્ટી દ્વારા ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય. કર્ણાટકમાં બજરંગબલીને લઈ રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસ દ્વારા જે ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. જે બાદ આ વાતનો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી હનુમાનજીના શરણે ગયા છે. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ હનુમાનજીના દર્શન કર્યા હતા.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.