કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ નેતાઓ પહોંચ્યા હનુમાનજીના મંદિર! પ્રિયંકા ગાંધીએ કર્યા બજરંગબલીના દર્શન! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-13 12:40:30

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાનની મતગણતરી હાલ ચાલી રહી છે. કોંગ્રેસ હાલ ભાજપ તેમજ અનેક રાજકીય પાર્ટીઓ કરતા આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસની જીત પાકી માનવામાં આવી રહી છે. ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. પીએમ મોદીએ 'જય બજરંગ બલી'ના નારા પણ અનેક જનસભાઓમાં લગાવ્યા હતા. આ બધા વચ્ચે કર્ણાટકમાં મતગણતરી થરૂ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી હનુમાન મંદિરે પહોંચ્યા હતા.શિમલા ખાતે આવેલા હનુમાન મંદિરમાં પ્રિયંકા ગાંધીએ પૂજા કરી હતી અને હનુમાનજી આગળ માથું નમાવ્યું હતું. તે સિવાય સીએમ બસવરાજ બોમ્મઈ પણ હનુમાનજીના શરણે ગયા હતા.

          


બજરંગબલીના મંદિરે પહોંચ્યા નેતાઓ! 

ચૂંટણી પ્રચારમાં અનેક વખત રાજકીય પાર્ટી દ્વારા ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય. કર્ણાટકમાં બજરંગબલીને લઈ રાજનીતિ ગરમાઈ હતી. કોંગ્રેસ દ્વારા જે ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. જે બાદ આ વાતનો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પડતા જ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પાઠ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધી હનુમાનજીના શરણે ગયા છે. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ હનુમાનજીના દર્શન કર્યા હતા.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.