ગાઝિયાબાદની કોર્ટમાં દીપડો ઘુસતા નાસભાગ મચી, કેટલાક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-08 18:32:52

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં એ સમયે અચાનક નાસભાગ મચી ગઈ જ્યારે લોકોએ કોર્ટ પરિસરમાં દીપડાને જોયો. આ દરમિયાન લગભગ અડધો ડઝન લોકો ઘાયલ પણ થયા છે. આ વાતની જાણ કોર્ટ પરિસરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને વકીલોએ પણ પોતાની ચેમ્બરો બંધ કરી દીધી હતી. 


પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા ઘાયલ


કોર્ટના સ્ટાફે જીવ બચાવવા માટે કોર્ટના અન્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. દીપડો ઘુસી આવ્યો તે અંગે સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા પ્રયાસ કરી રહી છે. દીપડા દ્વારા ઘાયલ થયેલા લોકોમાં પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા, તથા એક જૂતા પોલિશ કરનારાનો સમાવેશ થાય છે.


દીપડો પકડવા ટીમો કામે લાગી


વન વિભાગની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. 12 જેટલા લોકો જાળી અને પાંજરા લઈને આવ્યા છે. હાલમાં મુખ્ય કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની લોખંડની ચેનલ બંધ છે. કોર્ટ સ્ટાફ, કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકો બિલ્ડીંગની બહાર નીકળી ગયા છે. બિલ્ડિંગમાં હજુ સુધી કોઈ પ્રવેશ્યું નથી. આ બિલ્ડીંગમાં ઉપરના માળે દીપડો હોવાનું કહેવાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.