ગાઝિયાબાદની કોર્ટમાં દીપડો ઘુસતા નાસભાગ મચી, કેટલાક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-08 18:32:52

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં એ સમયે અચાનક નાસભાગ મચી ગઈ જ્યારે લોકોએ કોર્ટ પરિસરમાં દીપડાને જોયો. આ દરમિયાન લગભગ અડધો ડઝન લોકો ઘાયલ પણ થયા છે. આ વાતની જાણ કોર્ટ પરિસરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને વકીલોએ પણ પોતાની ચેમ્બરો બંધ કરી દીધી હતી. 


પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા ઘાયલ


કોર્ટના સ્ટાફે જીવ બચાવવા માટે કોર્ટના અન્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. દીપડો ઘુસી આવ્યો તે અંગે સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા પ્રયાસ કરી રહી છે. દીપડા દ્વારા ઘાયલ થયેલા લોકોમાં પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા, તથા એક જૂતા પોલિશ કરનારાનો સમાવેશ થાય છે.


દીપડો પકડવા ટીમો કામે લાગી


વન વિભાગની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. 12 જેટલા લોકો જાળી અને પાંજરા લઈને આવ્યા છે. હાલમાં મુખ્ય કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની લોખંડની ચેનલ બંધ છે. કોર્ટ સ્ટાફ, કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકો બિલ્ડીંગની બહાર નીકળી ગયા છે. બિલ્ડિંગમાં હજુ સુધી કોઈ પ્રવેશ્યું નથી. આ બિલ્ડીંગમાં ઉપરના માળે દીપડો હોવાનું કહેવાય છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.