ગાઝિયાબાદની કોર્ટમાં દીપડો ઘુસતા નાસભાગ મચી, કેટલાક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-08 18:32:52

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદના કોર્ટ પરિસરમાં એ સમયે અચાનક નાસભાગ મચી ગઈ જ્યારે લોકોએ કોર્ટ પરિસરમાં દીપડાને જોયો. આ દરમિયાન લગભગ અડધો ડઝન લોકો ઘાયલ પણ થયા છે. આ વાતની જાણ કોર્ટ પરિસરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને વકીલોએ પણ પોતાની ચેમ્બરો બંધ કરી દીધી હતી. 


પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા ઘાયલ


કોર્ટના સ્ટાફે જીવ બચાવવા માટે કોર્ટના અન્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. દીપડો ઘુસી આવ્યો તે અંગે સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા પ્રયાસ કરી રહી છે. દીપડા દ્વારા ઘાયલ થયેલા લોકોમાં પોલીસકર્મીઓ ઉપરાંત એક મહિલા, તથા એક જૂતા પોલિશ કરનારાનો સમાવેશ થાય છે.


દીપડો પકડવા ટીમો કામે લાગી


વન વિભાગની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. 12 જેટલા લોકો જાળી અને પાંજરા લઈને આવ્યા છે. હાલમાં મુખ્ય કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની લોખંડની ચેનલ બંધ છે. કોર્ટ સ્ટાફ, કર્મચારીઓ, વકીલો અને અન્ય લોકો બિલ્ડીંગની બહાર નીકળી ગયા છે. બિલ્ડિંગમાં હજુ સુધી કોઈ પ્રવેશ્યું નથી. આ બિલ્ડીંગમાં ઉપરના માળે દીપડો હોવાનું કહેવાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.