Mahisagarમાં દીપડાનો આતંક! દીપડાએ મહિલા પર હુમલો કર્યો, કરી ઈજાગ્રસ્ત, શું તમારા ત્યાં પણ છે દીપડાનો આતંક?


  • Published By :
  • Published Date : 2024-01-08 13:40:08

જે લોકો શહેરમાં રહેતા હોય છે તે લોકો માટે દીપડો જોવો કદાચ નવાઈની વાત હોતી હશે. પરંતુ જે લોકો ગામડાઓમાં રહેતા હશે તેમના માટે દીપડો એક સમસ્યા બની ગયું છે. દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ગામડાઓમાં. રાતના સમયે મુખ્યત્વે દીપડો હુમલો કરતો હોય છે, અનેક લોકો પર હુમલો દીપડાએ કર્યા છે, અનેક લોકોના મોત પણ હુમલાને કારણે થયા છે. ત્યારે એક કિસ્સો મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે.

આ શહેરમાં દીપડાનો આતંક, 18 દિવસથી 22 સ્કૂલો બંધ, લોકો ઘરની બહાર નીકળતા ડરે  છે | 22 schools closed for 18 days people afraid to step out due to Leopard  terror in this city

દીપડાને લઈ લોકોમાં વ્યાપી ઉઠ્યો છે ડર

દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગામડામાં રહેતા લોકોમાં ડર બેસી ગયો છે કે દીપડો આવીને ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે અને તેમને હાની પહોંચાડી શકે છે. હજી સુધી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો છે. અનેક ગામોમાં દીપડો આંટો મારવા આવતો હોય તેવું લાગે છે. લોકોમાં દીપડાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. વન વિભાગને પણ અનેક વખત જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવે છે પરંતુ દીપડાનો આતંક ઘટવાનું નામ નથી લેતું.


મહીસાગરમાં એક મહિલા પર દીપડાએ કર્યો હુમલો 

નાની નાની બાળકીઓ પર દીપડો હુમલો કરે છે અને તેમને ચીરીને ફાડી નાખે છે. સ્થાનિકો પર પણ હુમલો દીપડો કરતો હોય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા દીપડાએ દહેગામના લોકો પર હુમલો કર્યો હતો. તે બાદ આજે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીપડાએ એક મહિલાને ઈજાગ્રસ્ત કરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહત્વનું છે સંતરામપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીપડાના હુમલાના ડરમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે