Mahisagarમાં દીપડાનો આતંક! દીપડાએ મહિલા પર હુમલો કર્યો, કરી ઈજાગ્રસ્ત, શું તમારા ત્યાં પણ છે દીપડાનો આતંક?


  • Published By :
  • Published Date : 2024-01-08 13:40:08

જે લોકો શહેરમાં રહેતા હોય છે તે લોકો માટે દીપડો જોવો કદાચ નવાઈની વાત હોતી હશે. પરંતુ જે લોકો ગામડાઓમાં રહેતા હશે તેમના માટે દીપડો એક સમસ્યા બની ગયું છે. દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ગામડાઓમાં. રાતના સમયે મુખ્યત્વે દીપડો હુમલો કરતો હોય છે, અનેક લોકો પર હુમલો દીપડાએ કર્યા છે, અનેક લોકોના મોત પણ હુમલાને કારણે થયા છે. ત્યારે એક કિસ્સો મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે.

આ શહેરમાં દીપડાનો આતંક, 18 દિવસથી 22 સ્કૂલો બંધ, લોકો ઘરની બહાર નીકળતા ડરે  છે | 22 schools closed for 18 days people afraid to step out due to Leopard  terror in this city

દીપડાને લઈ લોકોમાં વ્યાપી ઉઠ્યો છે ડર

દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગામડામાં રહેતા લોકોમાં ડર બેસી ગયો છે કે દીપડો આવીને ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે અને તેમને હાની પહોંચાડી શકે છે. હજી સુધી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો છે. અનેક ગામોમાં દીપડો આંટો મારવા આવતો હોય તેવું લાગે છે. લોકોમાં દીપડાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. વન વિભાગને પણ અનેક વખત જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવે છે પરંતુ દીપડાનો આતંક ઘટવાનું નામ નથી લેતું.


મહીસાગરમાં એક મહિલા પર દીપડાએ કર્યો હુમલો 

નાની નાની બાળકીઓ પર દીપડો હુમલો કરે છે અને તેમને ચીરીને ફાડી નાખે છે. સ્થાનિકો પર પણ હુમલો દીપડો કરતો હોય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા દીપડાએ દહેગામના લોકો પર હુમલો કર્યો હતો. તે બાદ આજે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીપડાએ એક મહિલાને ઈજાગ્રસ્ત કરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહત્વનું છે સંતરામપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીપડાના હુમલાના ડરમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.