Mahisagarમાં દીપડાનો આતંક! દીપડાએ મહિલા પર હુમલો કર્યો, કરી ઈજાગ્રસ્ત, શું તમારા ત્યાં પણ છે દીપડાનો આતંક?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-08 13:40:08

જે લોકો શહેરમાં રહેતા હોય છે તે લોકો માટે દીપડો જોવો કદાચ નવાઈની વાત હોતી હશે. પરંતુ જે લોકો ગામડાઓમાં રહેતા હશે તેમના માટે દીપડો એક સમસ્યા બની ગયું છે. દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે ગામડાઓમાં. રાતના સમયે મુખ્યત્વે દીપડો હુમલો કરતો હોય છે, અનેક લોકો પર હુમલો દીપડાએ કર્યા છે, અનેક લોકોના મોત પણ હુમલાને કારણે થયા છે. ત્યારે એક કિસ્સો મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે.

આ શહેરમાં દીપડાનો આતંક, 18 દિવસથી 22 સ્કૂલો બંધ, લોકો ઘરની બહાર નીકળતા ડરે  છે | 22 schools closed for 18 days people afraid to step out due to Leopard  terror in this city

દીપડાને લઈ લોકોમાં વ્યાપી ઉઠ્યો છે ડર

દીપડાનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. ગામડામાં રહેતા લોકોમાં ડર બેસી ગયો છે કે દીપડો આવીને ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે અને તેમને હાની પહોંચાડી શકે છે. હજી સુધી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો છે. અનેક ગામોમાં દીપડો આંટો મારવા આવતો હોય તેવું લાગે છે. લોકોમાં દીપડાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. વન વિભાગને પણ અનેક વખત જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવે છે પરંતુ દીપડાનો આતંક ઘટવાનું નામ નથી લેતું.


મહીસાગરમાં એક મહિલા પર દીપડાએ કર્યો હુમલો 

નાની નાની બાળકીઓ પર દીપડો હુમલો કરે છે અને તેમને ચીરીને ફાડી નાખે છે. સ્થાનિકો પર પણ હુમલો દીપડો કરતો હોય છે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા દીપડાએ દહેગામના લોકો પર હુમલો કર્યો હતો. તે બાદ આજે મહીસાગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીપડાએ એક મહિલાને ઈજાગ્રસ્ત કરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. સંતરામ તાલુકાના ચિતવા પોડા ફળિયામાં રહેતા મહિલા પર દીપડાએ હુમલો કર્યો છે. મહત્વનું છે સંતરામપુર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીપડાના હુમલાના ડરમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે? 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.