2017ની ચૂંટણીમાંથી ભાજપે શિખ્યો પાઠ, સૌરાષ્ટ્ર પર ભાજપ કરી રહ્યું છે ફોક્સ


  • Published By :
  • Published Date : 2022-10-26 09:07:48

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.  ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ રણનીતિ સાથે આગળ વધી રહી છે. 182 બેઠકો જીતવા માટે ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ વખતે ભાજપ નબળા પરિણામો વાળી બેઠકો પર વધારે ફોક્સ કરી રહી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ભાજપને સૌરાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 30 બેઠકો આવી હતી.

એવી બેઠકો જ્યાં ભાજપને જીતવામાં પડી છે મુ્શ્કેલી 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપનું શાસન છે. 2017 ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી હતી પરંતુ ઘણી એવી બેઠકો હતી જેમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. આવો જ એક વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. 2017માં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલે તે માટે ભાજપ ઘણા પ્રયાસો કરી રહી છે. રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે? પાટિલે સિનિયર પ્રવક્તાઓનો લીધો ઉધડો, ડીબેટમાં હવે  શું રાખવું પડશે ધ્યાન?

દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે સૌરાષ્ટ્રની મુલાકાત 

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં સીટો મેળવવી ઘણું અઘરૂ મનાઈ રહ્યું છે. 30 બેઠકો પર હાલ કોંગ્રેસ સત્તા પર છે ત્યારે ભાજપ માટે આટલી બેઠકો પર વિજય મેળવવો મૂશ્કેલ લાગે છે.  


આ બેઠકો જ્યાં ભાજપને ઓછી સીટોથી સંતોષ માનવો પડ્યો હતો

આવી અનેક બેઠકો છે જેમાં ભાજપને વિજય મળ્યો નથી. અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લામાં પણ એવી બેઠકો છે જ્યાં ભાજપને એક-બે સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જૂનાગઢમાં ભાજપને 5માંથી એક બેઠક મળી હતી જ્યારે પોરબંદર અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એક એક બેઠક મળી હતી. રાજકોટની 8 બેઠકોમાંથી ભાજપને ફાળે 6 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠક ગઈ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.