2017ની ચૂંટણીમાંથી ભાજપે શિખ્યો પાઠ, સૌરાષ્ટ્ર પર ભાજપ કરી રહ્યું છે ફોક્સ


  • Published By :
  • Published Date : 2022-10-26 09:07:48

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.  ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ રણનીતિ સાથે આગળ વધી રહી છે. 182 બેઠકો જીતવા માટે ભાજપ તડામાર તૈયારીઓ કરી રહી છે. રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ વખતે ભાજપ નબળા પરિણામો વાળી બેઠકો પર વધારે ફોક્સ કરી રહી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ભાજપને સૌરાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 30 બેઠકો આવી હતી.

એવી બેઠકો જ્યાં ભાજપને જીતવામાં પડી છે મુ્શ્કેલી 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષોથી ભાજપનું શાસન છે. 2017 ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી હતી પરંતુ ઘણી એવી બેઠકો હતી જેમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. આવો જ એક વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. 2017માં કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલે તે માટે ભાજપ ઘણા પ્રયાસો કરી રહી છે. રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે? પાટિલે સિનિયર પ્રવક્તાઓનો લીધો ઉધડો, ડીબેટમાં હવે  શું રાખવું પડશે ધ્યાન?

દિગ્ગજ નેતાઓ લઈ રહ્યા છે સૌરાષ્ટ્રની મુલાકાત 

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં સીટો મેળવવી ઘણું અઘરૂ મનાઈ રહ્યું છે. 30 બેઠકો પર હાલ કોંગ્રેસ સત્તા પર છે ત્યારે ભાજપ માટે આટલી બેઠકો પર વિજય મેળવવો મૂશ્કેલ લાગે છે.  


આ બેઠકો જ્યાં ભાજપને ઓછી સીટોથી સંતોષ માનવો પડ્યો હતો

આવી અનેક બેઠકો છે જેમાં ભાજપને વિજય મળ્યો નથી. અમરેલી, મોરબી, સોમનાથ જિલ્લામાં પણ એવી બેઠકો છે જ્યાં ભાજપને એક-બે સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જૂનાગઢમાં ભાજપને 5માંથી એક બેઠક મળી હતી જ્યારે પોરબંદર અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એક એક બેઠક મળી હતી. રાજકોટની 8 બેઠકોમાંથી ભાજપને ફાળે 6 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠક ગઈ છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.