ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ, શિક્ષણને રાજકીય અખાડો ન બનાવીએ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:19:48

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે ઉતરેલી આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. પ્રચારના થોડા સમય દરમિયાન આપ પોતાના મુદ્દાઓથી ભટકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફરી એક વખત આપ educationની પીચ પર ચૂંટણીને લઈ જઈ રહ્યું છે. 

સ્કુલ ઓફ Excellenceની શરૂઆત 

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કુલ ઓફ Excellenceની શરૂઆત કરાવી હતી. ત્યારે તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ નબડી છે. પરંતુ આ વાત એકદમ સાચી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક શાળા બનાવી છે. 

pm narendra modi gujrat visit sitting with students during School of  Excellence inaugurtion in gandhi nagar - अचानक क्लास में 'पढ़ते' दिखे पीएम  मोदी, स्कूल ऑफ एक्सीलेंस मिशन की शुरुआत

વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે....

CM takes surprise visit to a primary school at Jaswantgadh Bhemal village in  Danta taluka of Banaskantha district

CM Narendra Modi goes to school with homework done


વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન કન્યા કેળવણી તેમજ શિક્ષણ પર વધારે ધ્યાન આપતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રવેશોત્સવની પણ શરૂઆત કરી હતી, જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં અંદાજીત 11,960 જેટલી શાળાઓ છે. જેમાંથી અંદાજીત 1115 શાળાઓ સરકારી શાળાએ છે. ઉપરાંત ગુજરાતમાં 30 સ્ટેટ યુનિવર્સિટી છે, એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે જ્યારે 3 જેટલી યુનિવર્સિટી ડિમ યુનિવર્સિટી છે અને 41 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમણે અનેક વખત શાળાની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં અંદાજીત 1050 જેટલી શાળાઓ આવેલી છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અનેક સ્કુલો બનાવામાં આવી છે.  આ છે દિલ્હી મોડલ


આપે કર્યા ભાજપ પર પ્રહાર

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને આપ વચ્ચે હમેશાં શાબ્દિક પ્રહાર અથવા તો ટ્વિટર વોર ચાલતું રહે છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે.  

શિક્ષણની વાતો રાજકીય અખાડો ન બની જાય

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અનેક મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે બીજા મુદ્દાઓ ભૂલી રાજકારણ શિક્ષણ પર થઈ રહ્યું છે તે સારી વાત છે. ત્યારે એટલી વાત જ કહેવી છે કે દરેક રાજ્યની પોતાની સિદ્ધિઓ તેમજ પોતાની ત્રુટીઓ હોય છે, અમે અપેક્ષા રાખીએ કે આ વાતો રાજકીય અખાડાનો દાવ માત્ર ના બની રહે પણ હકીકતે બન્ને એકબીજા પાસેથી શીખે. ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.