ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ, શિક્ષણને રાજકીય અખાડો ન બનાવીએ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:19:48

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ચૂંટણી માટે ઉતરેલી આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. પ્રચારના થોડા સમય દરમિયાન આપ પોતાના મુદ્દાઓથી ભટકી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફરી એક વખત આપ educationની પીચ પર ચૂંટણીને લઈ જઈ રહ્યું છે. 

સ્કુલ ઓફ Excellenceની શરૂઆત 

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કુલ ઓફ Excellenceની શરૂઆત કરાવી હતી. ત્યારે તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ નબડી છે. પરંતુ આ વાત એકદમ સાચી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક શાળા બનાવી છે. 

pm narendra modi gujrat visit sitting with students during School of  Excellence inaugurtion in gandhi nagar - अचानक क्लास में 'पढ़ते' दिखे पीएम  मोदी, स्कूल ऑफ एक्सीलेंस मिशन की शुरुआत

વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે....

CM takes surprise visit to a primary school at Jaswantgadh Bhemal village in  Danta taluka of Banaskantha district

CM Narendra Modi goes to school with homework done


વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન કન્યા કેળવણી તેમજ શિક્ષણ પર વધારે ધ્યાન આપતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રવેશોત્સવની પણ શરૂઆત કરી હતી, જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં અંદાજીત 11,960 જેટલી શાળાઓ છે. જેમાંથી અંદાજીત 1115 શાળાઓ સરકારી શાળાએ છે. ઉપરાંત ગુજરાતમાં 30 સ્ટેટ યુનિવર્સિટી છે, એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે જ્યારે 3 જેટલી યુનિવર્સિટી ડિમ યુનિવર્સિટી છે અને 41 પ્રાઈવેટ યુનિવર્સિટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમણે અનેક વખત શાળાની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં અંદાજીત 1050 જેટલી શાળાઓ આવેલી છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અનેક સ્કુલો બનાવામાં આવી છે.  આ છે દિલ્હી મોડલ


આપે કર્યા ભાજપ પર પ્રહાર

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને આપ વચ્ચે હમેશાં શાબ્દિક પ્રહાર અથવા તો ટ્વિટર વોર ચાલતું રહે છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે.  

શિક્ષણની વાતો રાજકીય અખાડો ન બની જાય

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અનેક મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે બીજા મુદ્દાઓ ભૂલી રાજકારણ શિક્ષણ પર થઈ રહ્યું છે તે સારી વાત છે. ત્યારે એટલી વાત જ કહેવી છે કે દરેક રાજ્યની પોતાની સિદ્ધિઓ તેમજ પોતાની ત્રુટીઓ હોય છે, અમે અપેક્ષા રાખીએ કે આ વાતો રાજકીય અખાડાનો દાવ માત્ર ના બની રહે પણ હકીકતે બન્ને એકબીજા પાસેથી શીખે. ચલો શિક્ષણ માટે સકારાત્મક બનીએ. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.