લ્યો બોલો, અહી તો આખે આખું તળાવ જ વેચાઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-10-03 21:35:38

મહેસાણા તાલુકાના અલોડા ગામનો તળાવ બારોબર વગ ધારીઓએ વેચી નાખ્યું હોવાના આક્ષેપો

સાથે આજે અલોડા ગામના લોકો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા

અલોડા ગામના તળાવ ગેરકાયદેસર કબ્જો જમાવવાના વિવાદમાં ન્યાય મેળવવા માટે ગ્રામજનો એકત્રિત થયા છે અને કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે 



અલોડા ગામના લોકો અને આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામનું તળાવ વગ ધારી બિલ્ડરે ખોટા કાગળો ઊભા કરી પચાવી પાડ્યું છે...આ ગામના તળાવને બચાવવા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતાં આખું ગામ કલેકટર કચેરી ધસી આવ્યું હતું અને મહેસાણા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું

અલોડા ગામના વિવાદે તંત્રને પણ હિલોળે ચડાવ્યું છે કારણ કે સરકારી જગ્યા અને આ તળાવ કેવી રીતે કોઈ વ્યક્તિ ખરીદી શકે તે પણ એમ મોટો સવાલ છે કારણ કે ગામના નકશામાં પણ એ તળાવ સ્પષ્ટ રીતે દેખાય છે તેવું ગામના લોકો કહી રહ્યા છે વર્ષોથી ચાલતા આ વિવાદમાં સત્ય શું છે તંત્ર એ આ બાબતે તટસ્થ તપાસ કરવાની જરૂર છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.