લ્યો બોલો, અહી તો આખે આખું તળાવ જ વેચાઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-10-03 21:35:38

મહેસાણા તાલુકાના અલોડા ગામનો તળાવ બારોબર વગ ધારીઓએ વેચી નાખ્યું હોવાના આક્ષેપો

સાથે આજે અલોડા ગામના લોકો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા

અલોડા ગામના તળાવ ગેરકાયદેસર કબ્જો જમાવવાના વિવાદમાં ન્યાય મેળવવા માટે ગ્રામજનો એકત્રિત થયા છે અને કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે 



અલોડા ગામના લોકો અને આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામનું તળાવ વગ ધારી બિલ્ડરે ખોટા કાગળો ઊભા કરી પચાવી પાડ્યું છે...આ ગામના તળાવને બચાવવા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતાં આખું ગામ કલેકટર કચેરી ધસી આવ્યું હતું અને મહેસાણા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું

અલોડા ગામના વિવાદે તંત્રને પણ હિલોળે ચડાવ્યું છે કારણ કે સરકારી જગ્યા અને આ તળાવ કેવી રીતે કોઈ વ્યક્તિ ખરીદી શકે તે પણ એમ મોટો સવાલ છે કારણ કે ગામના નકશામાં પણ એ તળાવ સ્પષ્ટ રીતે દેખાય છે તેવું ગામના લોકો કહી રહ્યા છે વર્ષોથી ચાલતા આ વિવાદમાં સત્ય શું છે તંત્ર એ આ બાબતે તટસ્થ તપાસ કરવાની જરૂર છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી