લ્યો બોલો, અહી તો આખે આખું તળાવ જ વેચાઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-10-03 21:35:38

મહેસાણા તાલુકાના અલોડા ગામનો તળાવ બારોબર વગ ધારીઓએ વેચી નાખ્યું હોવાના આક્ષેપો

સાથે આજે અલોડા ગામના લોકો કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા

અલોડા ગામના તળાવ ગેરકાયદેસર કબ્જો જમાવવાના વિવાદમાં ન્યાય મેળવવા માટે ગ્રામજનો એકત્રિત થયા છે અને કલેકટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે 



અલોડા ગામના લોકો અને આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામનું તળાવ વગ ધારી બિલ્ડરે ખોટા કાગળો ઊભા કરી પચાવી પાડ્યું છે...આ ગામના તળાવને બચાવવા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરાઈ છે છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતાં આખું ગામ કલેકટર કચેરી ધસી આવ્યું હતું અને મહેસાણા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું

અલોડા ગામના વિવાદે તંત્રને પણ હિલોળે ચડાવ્યું છે કારણ કે સરકારી જગ્યા અને આ તળાવ કેવી રીતે કોઈ વ્યક્તિ ખરીદી શકે તે પણ એમ મોટો સવાલ છે કારણ કે ગામના નકશામાં પણ એ તળાવ સ્પષ્ટ રીતે દેખાય છે તેવું ગામના લોકો કહી રહ્યા છે વર્ષોથી ચાલતા આ વિવાદમાં સત્ય શું છે તંત્ર એ આ બાબતે તટસ્થ તપાસ કરવાની જરૂર છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.