જો આજે આપણે તેમના વિશે નહીં બોલીએ, તો કાલે કોઈ આપણા વિશે નહીં બોલે...


  • Published By :
  • Published Date : 2022-11-02 19:23:55

By Devanshi Joshi

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે સન્નાટાને પડકાર ફેંકીને તાપી કિનારે સ્મશાનની બહાર બેસીને, સળગતી ચિતાઓને જોઈને સૌથી પહેલો અવાજ અમારો શું કામ ઉઠે છે. કોની સરકાર છે? કોણ કેટલું પાવરફુલ છે? આ બોલીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, આવા કોઈ જ વિચારો અમારા મનમાં કેમ નથી આવતા? કેમ મચ્છુમાં ડૂબેલા મૃતદેહોને બહાર આવતા જોઈએ તો અમને સંવેદનાઓ, સરકાર, વ્યવસ્થા બધું જ ડૂબેલું દેખાય છે? કેમ અમે કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જવાબદારોને સવાલ કરી દઈએ છીએ? ભલે હાથમાં મોબાઈલ હોય અને 150 રૂપિયાનું માઈક હોય. પણ અમારા સવાલો છતાંય દમથી કેમ નીકળે છે....

Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

આવી ઘટના પાછી ના થાય તે તમામની જવાબદારી

કેમ કે અમે પણ તો જઈએ છીએ આવા કોઈક પુલ પર ફરવા, એવી કોઈ નિશાળમાં ભણવા, એવા કોઈ રસ્તાઓ પર વાહન ચલાવવા. આ રાજ્યમાં રહેવા અને દેશ પર ગુમાન કરવા. અમે જાણીએ છીએ કે આ બધું રોકાવું જોઈએ અને આ રોકાઈ શકે એનો એક જ ઉકેલ છે કોઈની જવાબદેહી. બ્રિજ બનાવતા માણસની, કોન્ટ્રાક્ટ લેતા માણસની, પરવાનગી આપતા માણસની, ટિકિટ વેચતા માણસની, બ્રિજ પર ઠેકડા મારતા માણસની, ક્યાંક દૂર તમાશો જોતા માણસની, ક્યાંક દરેક વખતે હાથ ઉંચા કરી લેતા માણસની, ક્યાંક મિથ્યાભિમાનમાં રાચતા માણસની. જવાબદારી દરેકની બને છે. જવાબદેહ દરેક હોવા જોઈએ.

કોઈક તો સવાલ કરનાર હોવું જોઈએ

જો અમે આજે સવાલ નહીં કરીએ તો ક્યારેક આવા રસ્તાઓ પર જતા, બ્રિજ તૂટતા, આગ લાગતા, કોઈ પણ માનવસર્જીત બેદરકારીમાં લાશ બનીને અમે પણ ભડથું થઈ જઈશું. અમારા મૃતદેહો ઉપર આવતા હશે ત્યારે હજારો કેમેરાની ફ્લેશલાઈટ અમારા પર પડતી હશે. હજારો રિપોર્ટરના અવાજો અમારા સુન્ન પડેલા કાનોમાં અથડાઈને પાછા જતા હશે. પણ અમારી આત્મા એ સાંભળવા ઝંખતી હશે કે કોઈક હમણાં બોલશે કે આવું મોત તો અમને નસીબ ના થવું જોઈએ. કોઈક બોલશે કે અમારે પણ ઘરે પાછું જવાનું હતું, બાળકોની સાથે રમવાનું હતુ, સપનાઓ પૂરા કરવાના હતા, જીવન જીવવાનું હતું. પણ કોઈક કહેવાતા માણસની બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચારનો અમે ભોગ બન્યા, અમે નિર્જીવ થઈ ગયા.. પણ જો કોઈ જ અમારા માટે અવાજ નહીં ઉઠાવે તો... તો શું કંઈ જ નહીં, અમે તો મડદું હોઈશું. અમારે ક્યાં લાગણીઓ હશે, પણ અમારા એ વ્હાલસોયા જે જીવનભર અમારી ઝંખના કરવાના છે. દરેક તહેવાર પર રડવાના છે, રાત્રે ઝબકીને જાગી જવાના છે, એ લોકોને તો લાગણીઓ હશે... અને એટલે જ અમે સ્વાર્થી બનીને સવાલ કરીએ છીએ, કે ના કરે નારાયણ અને ફરી કોઈ, આવી જ કોઈ માનવના સ્વાર્થ સર્જીત દુર્ઘટનાનો અમે શિકાર બની જઈએ તો કોઈકની આંતરડી કકળે. કોઈક સવાલ કરે, કોઈક આ બંધ કરાવવાની કોશીશ કરે... સંકોચ વગર, સ્વાર્થ વગર... અને પ્રામાણીકતાથી. 


જો આજે અમે, આપણે....એમના માટે નહીં બોલીએ. તો ક્યારેય કોઈ આપણાં માટે નહીં બોલે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે