જો આજે આપણે તેમના વિશે નહીં બોલીએ, તો કાલે કોઈ આપણા વિશે નહીં બોલે...


  • Published By :
  • Published Date : 2022-11-02 19:23:55

By Devanshi Joshi

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે સન્નાટાને પડકાર ફેંકીને તાપી કિનારે સ્મશાનની બહાર બેસીને, સળગતી ચિતાઓને જોઈને સૌથી પહેલો અવાજ અમારો શું કામ ઉઠે છે. કોની સરકાર છે? કોણ કેટલું પાવરફુલ છે? આ બોલીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, આવા કોઈ જ વિચારો અમારા મનમાં કેમ નથી આવતા? કેમ મચ્છુમાં ડૂબેલા મૃતદેહોને બહાર આવતા જોઈએ તો અમને સંવેદનાઓ, સરકાર, વ્યવસ્થા બધું જ ડૂબેલું દેખાય છે? કેમ અમે કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જવાબદારોને સવાલ કરી દઈએ છીએ? ભલે હાથમાં મોબાઈલ હોય અને 150 રૂપિયાનું માઈક હોય. પણ અમારા સવાલો છતાંય દમથી કેમ નીકળે છે....

Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

આવી ઘટના પાછી ના થાય તે તમામની જવાબદારી

કેમ કે અમે પણ તો જઈએ છીએ આવા કોઈક પુલ પર ફરવા, એવી કોઈ નિશાળમાં ભણવા, એવા કોઈ રસ્તાઓ પર વાહન ચલાવવા. આ રાજ્યમાં રહેવા અને દેશ પર ગુમાન કરવા. અમે જાણીએ છીએ કે આ બધું રોકાવું જોઈએ અને આ રોકાઈ શકે એનો એક જ ઉકેલ છે કોઈની જવાબદેહી. બ્રિજ બનાવતા માણસની, કોન્ટ્રાક્ટ લેતા માણસની, પરવાનગી આપતા માણસની, ટિકિટ વેચતા માણસની, બ્રિજ પર ઠેકડા મારતા માણસની, ક્યાંક દૂર તમાશો જોતા માણસની, ક્યાંક દરેક વખતે હાથ ઉંચા કરી લેતા માણસની, ક્યાંક મિથ્યાભિમાનમાં રાચતા માણસની. જવાબદારી દરેકની બને છે. જવાબદેહ દરેક હોવા જોઈએ.

કોઈક તો સવાલ કરનાર હોવું જોઈએ

જો અમે આજે સવાલ નહીં કરીએ તો ક્યારેક આવા રસ્તાઓ પર જતા, બ્રિજ તૂટતા, આગ લાગતા, કોઈ પણ માનવસર્જીત બેદરકારીમાં લાશ બનીને અમે પણ ભડથું થઈ જઈશું. અમારા મૃતદેહો ઉપર આવતા હશે ત્યારે હજારો કેમેરાની ફ્લેશલાઈટ અમારા પર પડતી હશે. હજારો રિપોર્ટરના અવાજો અમારા સુન્ન પડેલા કાનોમાં અથડાઈને પાછા જતા હશે. પણ અમારી આત્મા એ સાંભળવા ઝંખતી હશે કે કોઈક હમણાં બોલશે કે આવું મોત તો અમને નસીબ ના થવું જોઈએ. કોઈક બોલશે કે અમારે પણ ઘરે પાછું જવાનું હતું, બાળકોની સાથે રમવાનું હતુ, સપનાઓ પૂરા કરવાના હતા, જીવન જીવવાનું હતું. પણ કોઈક કહેવાતા માણસની બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચારનો અમે ભોગ બન્યા, અમે નિર્જીવ થઈ ગયા.. પણ જો કોઈ જ અમારા માટે અવાજ નહીં ઉઠાવે તો... તો શું કંઈ જ નહીં, અમે તો મડદું હોઈશું. અમારે ક્યાં લાગણીઓ હશે, પણ અમારા એ વ્હાલસોયા જે જીવનભર અમારી ઝંખના કરવાના છે. દરેક તહેવાર પર રડવાના છે, રાત્રે ઝબકીને જાગી જવાના છે, એ લોકોને તો લાગણીઓ હશે... અને એટલે જ અમે સ્વાર્થી બનીને સવાલ કરીએ છીએ, કે ના કરે નારાયણ અને ફરી કોઈ, આવી જ કોઈ માનવના સ્વાર્થ સર્જીત દુર્ઘટનાનો અમે શિકાર બની જઈએ તો કોઈકની આંતરડી કકળે. કોઈક સવાલ કરે, કોઈક આ બંધ કરાવવાની કોશીશ કરે... સંકોચ વગર, સ્વાર્થ વગર... અને પ્રામાણીકતાથી. 


જો આજે અમે, આપણે....એમના માટે નહીં બોલીએ. તો ક્યારેય કોઈ આપણાં માટે નહીં બોલે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.