જો આજે આપણે તેમના વિશે નહીં બોલીએ, તો કાલે કોઈ આપણા વિશે નહીં બોલે...


  • Published By :
  • Published Date : 2022-11-02 19:23:55

By Devanshi Joshi

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે સન્નાટાને પડકાર ફેંકીને તાપી કિનારે સ્મશાનની બહાર બેસીને, સળગતી ચિતાઓને જોઈને સૌથી પહેલો અવાજ અમારો શું કામ ઉઠે છે. કોની સરકાર છે? કોણ કેટલું પાવરફુલ છે? આ બોલીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, આવા કોઈ જ વિચારો અમારા મનમાં કેમ નથી આવતા? કેમ મચ્છુમાં ડૂબેલા મૃતદેહોને બહાર આવતા જોઈએ તો અમને સંવેદનાઓ, સરકાર, વ્યવસ્થા બધું જ ડૂબેલું દેખાય છે? કેમ અમે કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જવાબદારોને સવાલ કરી દઈએ છીએ? ભલે હાથમાં મોબાઈલ હોય અને 150 રૂપિયાનું માઈક હોય. પણ અમારા સવાલો છતાંય દમથી કેમ નીકળે છે....

Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

આવી ઘટના પાછી ના થાય તે તમામની જવાબદારી

કેમ કે અમે પણ તો જઈએ છીએ આવા કોઈક પુલ પર ફરવા, એવી કોઈ નિશાળમાં ભણવા, એવા કોઈ રસ્તાઓ પર વાહન ચલાવવા. આ રાજ્યમાં રહેવા અને દેશ પર ગુમાન કરવા. અમે જાણીએ છીએ કે આ બધું રોકાવું જોઈએ અને આ રોકાઈ શકે એનો એક જ ઉકેલ છે કોઈની જવાબદેહી. બ્રિજ બનાવતા માણસની, કોન્ટ્રાક્ટ લેતા માણસની, પરવાનગી આપતા માણસની, ટિકિટ વેચતા માણસની, બ્રિજ પર ઠેકડા મારતા માણસની, ક્યાંક દૂર તમાશો જોતા માણસની, ક્યાંક દરેક વખતે હાથ ઉંચા કરી લેતા માણસની, ક્યાંક મિથ્યાભિમાનમાં રાચતા માણસની. જવાબદારી દરેકની બને છે. જવાબદેહ દરેક હોવા જોઈએ.

કોઈક તો સવાલ કરનાર હોવું જોઈએ

જો અમે આજે સવાલ નહીં કરીએ તો ક્યારેક આવા રસ્તાઓ પર જતા, બ્રિજ તૂટતા, આગ લાગતા, કોઈ પણ માનવસર્જીત બેદરકારીમાં લાશ બનીને અમે પણ ભડથું થઈ જઈશું. અમારા મૃતદેહો ઉપર આવતા હશે ત્યારે હજારો કેમેરાની ફ્લેશલાઈટ અમારા પર પડતી હશે. હજારો રિપોર્ટરના અવાજો અમારા સુન્ન પડેલા કાનોમાં અથડાઈને પાછા જતા હશે. પણ અમારી આત્મા એ સાંભળવા ઝંખતી હશે કે કોઈક હમણાં બોલશે કે આવું મોત તો અમને નસીબ ના થવું જોઈએ. કોઈક બોલશે કે અમારે પણ ઘરે પાછું જવાનું હતું, બાળકોની સાથે રમવાનું હતુ, સપનાઓ પૂરા કરવાના હતા, જીવન જીવવાનું હતું. પણ કોઈક કહેવાતા માણસની બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચારનો અમે ભોગ બન્યા, અમે નિર્જીવ થઈ ગયા.. પણ જો કોઈ જ અમારા માટે અવાજ નહીં ઉઠાવે તો... તો શું કંઈ જ નહીં, અમે તો મડદું હોઈશું. અમારે ક્યાં લાગણીઓ હશે, પણ અમારા એ વ્હાલસોયા જે જીવનભર અમારી ઝંખના કરવાના છે. દરેક તહેવાર પર રડવાના છે, રાત્રે ઝબકીને જાગી જવાના છે, એ લોકોને તો લાગણીઓ હશે... અને એટલે જ અમે સ્વાર્થી બનીને સવાલ કરીએ છીએ, કે ના કરે નારાયણ અને ફરી કોઈ, આવી જ કોઈ માનવના સ્વાર્થ સર્જીત દુર્ઘટનાનો અમે શિકાર બની જઈએ તો કોઈકની આંતરડી કકળે. કોઈક સવાલ કરે, કોઈક આ બંધ કરાવવાની કોશીશ કરે... સંકોચ વગર, સ્વાર્થ વગર... અને પ્રામાણીકતાથી. 


જો આજે અમે, આપણે....એમના માટે નહીં બોલીએ. તો ક્યારેય કોઈ આપણાં માટે નહીં બોલે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.