જો આજે આપણે તેમના વિશે નહીં બોલીએ, તો કાલે કોઈ આપણા વિશે નહીં બોલે...


  • Published By :
  • Published Date : 2022-11-02 19:23:55

By Devanshi Joshi

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ વખતે સન્નાટાને પડકાર ફેંકીને તાપી કિનારે સ્મશાનની બહાર બેસીને, સળગતી ચિતાઓને જોઈને સૌથી પહેલો અવાજ અમારો શું કામ ઉઠે છે. કોની સરકાર છે? કોણ કેટલું પાવરફુલ છે? આ બોલીશું તો આ થશે, આ કરીશું તો આ થશે, આવા કોઈ જ વિચારો અમારા મનમાં કેમ નથી આવતા? કેમ મચ્છુમાં ડૂબેલા મૃતદેહોને બહાર આવતા જોઈએ તો અમને સંવેદનાઓ, સરકાર, વ્યવસ્થા બધું જ ડૂબેલું દેખાય છે? કેમ અમે કોઈ જ વિચાર કર્યા વગર સીધા જ જવાબદારોને સવાલ કરી દઈએ છીએ? ભલે હાથમાં મોબાઈલ હોય અને 150 રૂપિયાનું માઈક હોય. પણ અમારા સવાલો છતાંય દમથી કેમ નીકળે છે....

Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

આવી ઘટના પાછી ના થાય તે તમામની જવાબદારી

કેમ કે અમે પણ તો જઈએ છીએ આવા કોઈક પુલ પર ફરવા, એવી કોઈ નિશાળમાં ભણવા, એવા કોઈ રસ્તાઓ પર વાહન ચલાવવા. આ રાજ્યમાં રહેવા અને દેશ પર ગુમાન કરવા. અમે જાણીએ છીએ કે આ બધું રોકાવું જોઈએ અને આ રોકાઈ શકે એનો એક જ ઉકેલ છે કોઈની જવાબદેહી. બ્રિજ બનાવતા માણસની, કોન્ટ્રાક્ટ લેતા માણસની, પરવાનગી આપતા માણસની, ટિકિટ વેચતા માણસની, બ્રિજ પર ઠેકડા મારતા માણસની, ક્યાંક દૂર તમાશો જોતા માણસની, ક્યાંક દરેક વખતે હાથ ઉંચા કરી લેતા માણસની, ક્યાંક મિથ્યાભિમાનમાં રાચતા માણસની. જવાબદારી દરેકની બને છે. જવાબદેહ દરેક હોવા જોઈએ.

કોઈક તો સવાલ કરનાર હોવું જોઈએ

જો અમે આજે સવાલ નહીં કરીએ તો ક્યારેક આવા રસ્તાઓ પર જતા, બ્રિજ તૂટતા, આગ લાગતા, કોઈ પણ માનવસર્જીત બેદરકારીમાં લાશ બનીને અમે પણ ભડથું થઈ જઈશું. અમારા મૃતદેહો ઉપર આવતા હશે ત્યારે હજારો કેમેરાની ફ્લેશલાઈટ અમારા પર પડતી હશે. હજારો રિપોર્ટરના અવાજો અમારા સુન્ન પડેલા કાનોમાં અથડાઈને પાછા જતા હશે. પણ અમારી આત્મા એ સાંભળવા ઝંખતી હશે કે કોઈક હમણાં બોલશે કે આવું મોત તો અમને નસીબ ના થવું જોઈએ. કોઈક બોલશે કે અમારે પણ ઘરે પાછું જવાનું હતું, બાળકોની સાથે રમવાનું હતુ, સપનાઓ પૂરા કરવાના હતા, જીવન જીવવાનું હતું. પણ કોઈક કહેવાતા માણસની બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચારનો અમે ભોગ બન્યા, અમે નિર્જીવ થઈ ગયા.. પણ જો કોઈ જ અમારા માટે અવાજ નહીં ઉઠાવે તો... તો શું કંઈ જ નહીં, અમે તો મડદું હોઈશું. અમારે ક્યાં લાગણીઓ હશે, પણ અમારા એ વ્હાલસોયા જે જીવનભર અમારી ઝંખના કરવાના છે. દરેક તહેવાર પર રડવાના છે, રાત્રે ઝબકીને જાગી જવાના છે, એ લોકોને તો લાગણીઓ હશે... અને એટલે જ અમે સ્વાર્થી બનીને સવાલ કરીએ છીએ, કે ના કરે નારાયણ અને ફરી કોઈ, આવી જ કોઈ માનવના સ્વાર્થ સર્જીત દુર્ઘટનાનો અમે શિકાર બની જઈએ તો કોઈકની આંતરડી કકળે. કોઈક સવાલ કરે, કોઈક આ બંધ કરાવવાની કોશીશ કરે... સંકોચ વગર, સ્વાર્થ વગર... અને પ્રામાણીકતાથી. 


જો આજે અમે, આપણે....એમના માટે નહીં બોલીએ. તો ક્યારેય કોઈ આપણાં માટે નહીં બોલે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.