રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-03 19:32:40

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના હવામાન બુલેટીનમાં રાજ્યના આંતરિયાળ જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે માવઠું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 અને 7 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવું માવઠું થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.


જગતનો તાત થયો ચિંતિંત


શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે ઉનાળાનો વિધિવત શરૂ થયો છે. ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની શક્યતા છે. જે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. જો કે, માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અગમચેતીની ભાગરૂપે જામનગર યાર્ડ દ્વારા લસણ, મગફળી, કપાસ, એરંડા, ધાણાની હરાજી બંધ કરવામાં આવી છે જે નવી જાહેરાત ના થઇ ત્યાં સુધી બંધ રહેશે.


આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ પ્રકારે, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ગોવા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.