રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-03 19:32:40

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના હવામાન બુલેટીનમાં રાજ્યના આંતરિયાળ જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે માવઠું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 અને 7 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવું માવઠું થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.


જગતનો તાત થયો ચિંતિંત


શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે ઉનાળાનો વિધિવત શરૂ થયો છે. ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની શક્યતા છે. જે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. જો કે, માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અગમચેતીની ભાગરૂપે જામનગર યાર્ડ દ્વારા લસણ, મગફળી, કપાસ, એરંડા, ધાણાની હરાજી બંધ કરવામાં આવી છે જે નવી જાહેરાત ના થઇ ત્યાં સુધી બંધ રહેશે.


આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ પ્રકારે, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ગોવા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.