રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-03 19:32:40

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના હવામાન બુલેટીનમાં રાજ્યના આંતરિયાળ જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે માવઠું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 અને 7 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવું માવઠું થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.


જગતનો તાત થયો ચિંતિંત


શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે ઉનાળાનો વિધિવત શરૂ થયો છે. ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની શક્યતા છે. જે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. જો કે, માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અગમચેતીની ભાગરૂપે જામનગર યાર્ડ દ્વારા લસણ, મગફળી, કપાસ, એરંડા, ધાણાની હરાજી બંધ કરવામાં આવી છે જે નવી જાહેરાત ના થઇ ત્યાં સુધી બંધ રહેશે.


આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ પ્રકારે, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ગોવા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.