રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-03 19:32:40

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2-3 દિવસ વાવાઝોડા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના હવામાન બુલેટીનમાં રાજ્યના આંતરિયાળ જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.



ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે માવઠું


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 અને 7 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવું માવઠું થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.


જગતનો તાત થયો ચિંતિંત


શિયાળામાં દર થોડા દિવસોમાં માવઠાને કારણે ઘણા ખેડૂતો પરેશાન થયા હતા. હવે જ્યારે ઉનાળાનો વિધિવત શરૂ થયો છે. ત્યારે વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની શક્યતા છે. જે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. જો કે, માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અગમચેતીની ભાગરૂપે જામનગર યાર્ડ દ્વારા લસણ, મગફળી, કપાસ, એરંડા, ધાણાની હરાજી બંધ કરવામાં આવી છે જે નવી જાહેરાત ના થઇ ત્યાં સુધી બંધ રહેશે.


આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી


સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને રાજસ્થાનના પશ્ચિમ અને દક્ષિણ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ પ્રકારે, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર કોંકણ, ગોવા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.