અવતારની જેમ અવતાર-2 પણ દર્શકોની આવી રહી છે પસંદ, રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે કરી આટલી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-23 11:28:12

16 ડિસેમ્બર 2022એ રિલીઝ થયેલી અવતાર-2ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે સીનેમાઘરોમાં પોતાનો ડંકો વગાડવાની શરૂઆત કરી દીધી છે. પહેલા પાર્ટીની જેમ બીજા પાર્ટની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મનું કલેક્શન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં તો આ ફિલ્મને લોકો જોઈ રહ્યા છે. પરંતુ વિદેશોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના પ્રથમ દિવસે ફિલ્મે 41 કરોડની કમાણી કરી લીધી હતી. પ્રથમ વિકએન્ડ પર ફિલ્મે 129 કરોડ જેટલાની કમાણી કરી લીધી છે. 

Avatar 2 Release, Cast, Budget, Director, Producer, Writer – Tekwrold.com


ક્રિસ્મસ અને ન્યુયર દરમિયાન વધશે આંકડો 

ઘણા સમય બાદ એવી ફિલ્મો આવી રહી છે જેને જોવા ઓડિયન્સ આતુર બની છે. દ્રશ્યમ-2ને લોકોનો પ્રેમ મળ્યો છે. લોકો દ્રશ્યમ-2ને જોવા ઉમટી રહ્યા છે. દ્રશ્યમ-2એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. એ ફિલ્મને રિલીઝ થયે અનેક દિવસો વીતી ગયા છે. દ્રશ્યમ-2ની સાથે સાથે દર્શકો અવતાર-2ને જોવા માટે જઈ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી અવતાર-2એ અત્યાર સુધીમાં 129 કરોડની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ અને ન્યુયરના દિવસોમાં આ કમાણી વધી શકે છે. 


વિદેશમાં પણ ફિલ્મ કરી રહી છે સારૂ પ્રદર્શન 

રિલીઝ થયાના પ્રથમ દિવસે અવતાર-2એ 41 કરોડની કમાણી કરી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી, ત્રીજા દિવસે 46 કરોડની કમાણી હતી. આમ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ 129 કરોડની કમાણી કરી લીધી છે. 13 વર્ષ બાદ અવતાર-2 રિલીઝ થઈ છે. ફિલ્મના અનેક ચાહકોએ આ ફિલ્મને જોવા એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું હતું. અંદાજીત 2000 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવામાં આવી છે. વિદેશમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 4116 કરોડની કમાણી કરી લીધી છે. આ આંકડામાં ફેરબદલ થઈ શકે છે.      




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.