અવતારની જેમ અવતાર-2 પણ દર્શકોની આવી રહી છે પસંદ, રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે કરી આટલી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-23 11:28:12

16 ડિસેમ્બર 2022એ રિલીઝ થયેલી અવતાર-2ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે સીનેમાઘરોમાં પોતાનો ડંકો વગાડવાની શરૂઆત કરી દીધી છે. પહેલા પાર્ટીની જેમ બીજા પાર્ટની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મનું કલેક્શન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં તો આ ફિલ્મને લોકો જોઈ રહ્યા છે. પરંતુ વિદેશોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના પ્રથમ દિવસે ફિલ્મે 41 કરોડની કમાણી કરી લીધી હતી. પ્રથમ વિકએન્ડ પર ફિલ્મે 129 કરોડ જેટલાની કમાણી કરી લીધી છે. 

Avatar 2 Release, Cast, Budget, Director, Producer, Writer – Tekwrold.com


ક્રિસ્મસ અને ન્યુયર દરમિયાન વધશે આંકડો 

ઘણા સમય બાદ એવી ફિલ્મો આવી રહી છે જેને જોવા ઓડિયન્સ આતુર બની છે. દ્રશ્યમ-2ને લોકોનો પ્રેમ મળ્યો છે. લોકો દ્રશ્યમ-2ને જોવા ઉમટી રહ્યા છે. દ્રશ્યમ-2એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. એ ફિલ્મને રિલીઝ થયે અનેક દિવસો વીતી ગયા છે. દ્રશ્યમ-2ની સાથે સાથે દર્શકો અવતાર-2ને જોવા માટે જઈ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી અવતાર-2એ અત્યાર સુધીમાં 129 કરોડની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ અને ન્યુયરના દિવસોમાં આ કમાણી વધી શકે છે. 


વિદેશમાં પણ ફિલ્મ કરી રહી છે સારૂ પ્રદર્શન 

રિલીઝ થયાના પ્રથમ દિવસે અવતાર-2એ 41 કરોડની કમાણી કરી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી, ત્રીજા દિવસે 46 કરોડની કમાણી હતી. આમ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ 129 કરોડની કમાણી કરી લીધી છે. 13 વર્ષ બાદ અવતાર-2 રિલીઝ થઈ છે. ફિલ્મના અનેક ચાહકોએ આ ફિલ્મને જોવા એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું હતું. અંદાજીત 2000 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવામાં આવી છે. વિદેશમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 4116 કરોડની કમાણી કરી લીધી છે. આ આંકડામાં ફેરબદલ થઈ શકે છે.      




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી