અવતારની જેમ અવતાર-2 પણ દર્શકોની આવી રહી છે પસંદ, રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે કરી આટલી કમાણી


  • Published By :
  • Published Date : 2022-12-23 11:28:12

16 ડિસેમ્બર 2022એ રિલીઝ થયેલી અવતાર-2ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે સીનેમાઘરોમાં પોતાનો ડંકો વગાડવાની શરૂઆત કરી દીધી છે. પહેલા પાર્ટીની જેમ બીજા પાર્ટની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મનું કલેક્શન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં તો આ ફિલ્મને લોકો જોઈ રહ્યા છે. પરંતુ વિદેશોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના પ્રથમ દિવસે ફિલ્મે 41 કરોડની કમાણી કરી લીધી હતી. પ્રથમ વિકએન્ડ પર ફિલ્મે 129 કરોડ જેટલાની કમાણી કરી લીધી છે. 

Avatar 2 Release, Cast, Budget, Director, Producer, Writer – Tekwrold.com


ક્રિસ્મસ અને ન્યુયર દરમિયાન વધશે આંકડો 

ઘણા સમય બાદ એવી ફિલ્મો આવી રહી છે જેને જોવા ઓડિયન્સ આતુર બની છે. દ્રશ્યમ-2ને લોકોનો પ્રેમ મળ્યો છે. લોકો દ્રશ્યમ-2ને જોવા ઉમટી રહ્યા છે. દ્રશ્યમ-2એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. એ ફિલ્મને રિલીઝ થયે અનેક દિવસો વીતી ગયા છે. દ્રશ્યમ-2ની સાથે સાથે દર્શકો અવતાર-2ને જોવા માટે જઈ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી અવતાર-2એ અત્યાર સુધીમાં 129 કરોડની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ અને ન્યુયરના દિવસોમાં આ કમાણી વધી શકે છે. 


વિદેશમાં પણ ફિલ્મ કરી રહી છે સારૂ પ્રદર્શન 

રિલીઝ થયાના પ્રથમ દિવસે અવતાર-2એ 41 કરોડની કમાણી કરી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી, ત્રીજા દિવસે 46 કરોડની કમાણી હતી. આમ ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ 129 કરોડની કમાણી કરી લીધી છે. 13 વર્ષ બાદ અવતાર-2 રિલીઝ થઈ છે. ફિલ્મના અનેક ચાહકોએ આ ફિલ્મને જોવા એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું હતું. અંદાજીત 2000 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવામાં આવી છે. વિદેશમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે 4116 કરોડની કમાણી કરી લીધી છે. આ આંકડામાં ફેરબદલ થઈ શકે છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.