જૂનાગઢઃ પ્રારંભ પહેલા 4 લાખ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી


  • Published By :
  • Published Date : 2022-11-05 15:19:49

જૂનાગઢ ખાતે ગીરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે સત્તાવાર રીતે શુભારંભ થઈ ગયો છે.  જૂનાગઢના સાધુ-સંતોએ રિબિન કાપી શ્રીફળ વધેરી અને પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. ચૂંટણીની કામગીરીના કારણે કોઈ સરકારી અધિકારી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યું. જોકે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે કોઈ રાજકીય નેતાઓ પણ હાજર નહોતા રહી શક્યા. 


લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ અને મહંત મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતોએ શ્રીફળ ફોડીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનારની પરિક્રમામાં લગભગ 10 લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે પરિક્રમાની વિવિવત શરૂઆત પહેલા જ 4 લાખ લોકોએ 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. 

શું તમે જાણો છો ગિરનારની લીલી પરિક્રમા વિષે? વાંચો તેની કેટલીક અજાણી વાતો.  | Dharmik Topic

આ વખતે લીલી પરિક્રમામાં હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવશે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોના બાદ પહેલીવાર જંગી પરિક્રમાનો લાખો લોકો ભાગ લેશે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે પહેલીવાર ગાદલીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વ્યક્તિ બીમાર હોય તેના માટે દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકોને ચાલવામાં અગવડ ના પડે તેના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.