જૂનાગઢઃ પ્રારંભ પહેલા 4 લાખ શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા પૂર્ણ કરી


  • Published By :
  • Published Date : 2022-11-05 15:19:49

જૂનાગઢ ખાતે ગીરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે સત્તાવાર રીતે શુભારંભ થઈ ગયો છે.  જૂનાગઢના સાધુ-સંતોએ રિબિન કાપી શ્રીફળ વધેરી અને પરિક્રમાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. ચૂંટણીની કામગીરીના કારણે કોઈ સરકારી અધિકારી આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યું. જોકે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે કોઈ રાજકીય નેતાઓ પણ હાજર નહોતા રહી શક્યા. 


લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

જૂનાગઢ ભવનાથના મહંત હરિગીરી બાપુ અને મહંત મહેન્દ્રગીરી બાપુ સહિતના સંતોએ શ્રીફળ ફોડીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ગીરનારની પરિક્રમામાં લગભગ 10 લાખ જેટલા લોકો ભાગ લેતા હોય છે ત્યારે પરિક્રમાની વિવિવત શરૂઆત પહેલા જ 4 લાખ લોકોએ 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. 

શું તમે જાણો છો ગિરનારની લીલી પરિક્રમા વિષે? વાંચો તેની કેટલીક અજાણી વાતો.  | Dharmik Topic

આ વખતે લીલી પરિક્રમામાં હજુ પણ ઘણા શ્રદ્ધાળુઓ આવશે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોરોના બાદ પહેલીવાર જંગી પરિક્રમાનો લાખો લોકો ભાગ લેશે. સુરક્ષા અને વ્યવસ્થા માટે પોલીસે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે પહેલીવાર ગાદલીની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે વ્યક્તિ બીમાર હોય તેના માટે દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકોને ચાલવામાં અગવડ ના પડે તેના માટે લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.