દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા ધજાગરા, Suratમાં આવી રીતે કરાતી હતી દારૂની હેરફેરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 14:58:14

ગુજરાતમાં અનેક એવા કાયદા, અનેક યોજનાઓ છે જે માત્ર કાગળ પર જ દેખાતી હશે. કાગળ પર કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હશે પરંતુ વાસ્તવિક્તા આપણે જાણીએ છીએ. તેવી જ રીતે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જે રાજ્યમાં દારૂબંધી હોય તે રાજ્યમાં દારૂ કેવી રીતે મળે... પરંતુ  આ તો ગુજરાત છે, અહીંયા લોકો જુગાડ કરીને પણ દારૂની વ્યવસ્થા કરી લેતા હોય છે. ત્યારે દારૂ સપ્લાય કરનારા બુટલેગરો બેફામ બન્યા છે. અનેક વખત દારૂનો જથ્થો પકડાય છે. 


પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી વેચાતો હતો દારૂ  

ત્યારે આજે પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે સુરતમાંથી. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામની એક સોસાયટીમાં દરોડા પાડ્યા અને દારૂની બોટલો નહીં પરંતુ પ્લાસ્ટીકની થેલીમાં બાંધેલો દારૂ મળી આવ્યો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તે રાજસ્થાનનો છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે પણ મહીસાગરથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. સ્કૂલની બસના માધ્યમથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 


અમદાવાદથી પણ સામે આવ્યા છે આવા સમાચાર

મહત્વનું છે કે થોડા દિવસો પછી 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે અનેક લોકો પાર્ટી-શાર્ટી કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન પોલીસ, એલસીબી સહિતની ટીમો સતર્ક થઈ જતી હોય છે. 31 પહેલા પણ અનેક જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના બાવળામાંથી એસીડના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. મહત્વનું છે કે અવાર-નવાર પકડવામાં આવતા દારૂના જથ્થાઓ પરથી નથી જ લાગતું કે ગુજરાતમાં દારૂબંધી હોય. જો તમને લાગતું હોય તો    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.