દારૂબંધી કાયદાના ફરી ઉડ્યા ધજાગરા, Suratમાં આવી રીતે કરાતી હતી દારૂની હેરફેરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 14:58:14

ગુજરાતમાં અનેક એવા કાયદા, અનેક યોજનાઓ છે જે માત્ર કાગળ પર જ દેખાતી હશે. કાગળ પર કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હશે પરંતુ વાસ્તવિક્તા આપણે જાણીએ છીએ. તેવી જ રીતે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જે રાજ્યમાં દારૂબંધી હોય તે રાજ્યમાં દારૂ કેવી રીતે મળે... પરંતુ  આ તો ગુજરાત છે, અહીંયા લોકો જુગાડ કરીને પણ દારૂની વ્યવસ્થા કરી લેતા હોય છે. ત્યારે દારૂ સપ્લાય કરનારા બુટલેગરો બેફામ બન્યા છે. અનેક વખત દારૂનો જથ્થો પકડાય છે. 


પ્લાસ્ટીકની થેલીઓમાં ભરી વેચાતો હતો દારૂ  

ત્યારે આજે પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે સુરતમાંથી. બાતમીના આધારે જિલ્લા એલ સીબીએ મોડી રાત્રે ઓલપાડના માસમા ગામની એક સોસાયટીમાં દરોડા પાડ્યા અને દારૂની બોટલો નહીં પરંતુ પ્લાસ્ટીકની થેલીમાં બાંધેલો દારૂ મળી આવ્યો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે આરોપી છે તે રાજસ્થાનનો છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે પણ મહીસાગરથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. સ્કૂલની બસના માધ્યમથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 


અમદાવાદથી પણ સામે આવ્યા છે આવા સમાચાર

મહત્વનું છે કે થોડા દિવસો પછી 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે અનેક લોકો પાર્ટી-શાર્ટી કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન પોલીસ, એલસીબી સહિતની ટીમો સતર્ક થઈ જતી હોય છે. 31 પહેલા પણ અનેક જગ્યાઓથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના બાવળામાંથી એસીડના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. મહત્વનું છે કે અવાર-નવાર પકડવામાં આવતા દારૂના જથ્થાઓ પરથી નથી જ લાગતું કે ગુજરાતમાં દારૂબંધી હોય. જો તમને લાગતું હોય તો    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.