લ્યો બોલો! એમ્બ્યુલન્સમાં દારૂની તસ્કરી, ચિલોડા પોલીસે રાજસ્થાન પાસિંગની એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો દારૂ


  • Published By :
  • Published Date : 2023-08-15 21:22:24

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની લગભગ દરરોજ ફજેતી થતી જોવા મળે છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે છે તેમ છતાં દારૂની તસ્કરી બેરોકટોક થઈ રહી છે. રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની તસ્કરી માટે અવનવા પ્રકારની જ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસને શંકા ન જાય તે માટે  બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. બુટલેગરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ અચંબિત થઈ ગઈ છે.


એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી


ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. ચિલોડા હિંમતનગર હાઇવે પર છાલા ગામ નજીક આવેલી હોટેલ પરથી દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાન પાસિંગની બંધ એમ્બ્યુલન્સ વાનના ચેકિંગમાં ચિલોડા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્બ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો. સ્વતંત્રતા દિવસને લઈ હોટેલ અને ઢાબાઓમાં ચેકીંગ શરૂ કરતા પોલીસે દારૂનો આ જથ્થો ઝડપ્યો હતો. પોલીસે દારૂની જથ્થો જપ્ત કરી એમ્બ્યુલન્સ વાનના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.