લ્યો બોલો! એમ્બ્યુલન્સમાં દારૂની તસ્કરી, ચિલોડા પોલીસે રાજસ્થાન પાસિંગની એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો દારૂ


  • Published By :
  • Published Date : 2023-08-15 21:22:24

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની લગભગ દરરોજ ફજેતી થતી જોવા મળે છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવે છે તેમ છતાં દારૂની તસ્કરી બેરોકટોક થઈ રહી છે. રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની તસ્કરી માટે અવનવા પ્રકારની જ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. પોલીસને શંકા ન જાય તે માટે  બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે ફાયર બ્રિગેડની ગાડી કે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. બુટલેગરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ અચંબિત થઈ ગઈ છે.


એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી


ગાંધીનગરની ચિલોડા પોલીસે એમ્બ્યુલન્સ વાનમાંથી દારૂ ઝડપ્યો હતો. ચિલોડા હિંમતનગર હાઇવે પર છાલા ગામ નજીક આવેલી હોટેલ પરથી દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાન પાસિંગની બંધ એમ્બ્યુલન્સ વાનના ચેકિંગમાં ચિલોડા પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. છાલા ગામ નજીક આવેલી કનના માતાજી હોટેલ ઉદયપુર ઢાબા પાસે બંધ એમ્બ્યુલન્સમાંથી 68,640ની કિંમતનો દારૂ ઝડપાયો હતો. સ્વતંત્રતા દિવસને લઈ હોટેલ અને ઢાબાઓમાં ચેકીંગ શરૂ કરતા પોલીસે દારૂનો આ જથ્થો ઝડપ્યો હતો. પોલીસે દારૂની જથ્થો જપ્ત કરી એમ્બ્યુલન્સ વાનના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે