ગુજરાત પર તીડના આક્રમણે ચિંતા વધારી, રાજસ્થાનમાં તીડના સંકટના પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં


  • Published By :
  • Published Date : 2023-08-14 11:16:47

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર ત્રણ વર્ષ બાદ ફરી એકવાર તીડના આક્રમણનું સંકટ તોળાયું છે. જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તાર અને થરાદના ચારડા, વાવના અસારાવાસ, સુઇગામના જલોયા અને માધપુરા ગામ સહિત રાધનપુર પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ગામોની વિઝીટ કરાઈ હતી અને તીડ બાબતે માહિતી મેળવી હતી. તીડના આક્રમણના સંકટને લઈને ફરી ખેડૂતોની સાથે-સાથે વહીવટી તંત્રની પણ ચિંતા વધી છે. રાજ્ય સરકાર તીડના આક્રમણના સામે એક્શન મોડમાં આવી ગઈ છે.


ગુજરાતથી 500 કિમી દુર   


રાજસ્થાનમાં તીડ હોવાનું જાણવા મળતા હજુ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ તીડ દૂર હોવાના સંકેત મળ્યા છે. જ્યારે ત્રણ વર્ષ બાદ ફરી તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા તીડ નિયંત્રણ ટીમ દ્વારા થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકાની તીડ નિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરાઈ હતી, અને તીડ બાબતે નિરીક્ષણ કર્યું હતું.


ચોમાસુ પાકને નુકસાનની આશંકા   


રાજ્યમાં હાલ ચોમાસુ બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તીડ પહેલાં તીડ નિયંત્રણ ટીમ એલર્ટ અને બનાસકાંઠાના થરાદના ચારડા, વાવના અસારાવાસ અને સુઇગામના જલીયા, માધપુરા, સુઇગામ સહિત રાધનપુર વિસ્તારમાં વિઝીટ કર્યાનું અધિકારીએ જણાવ્યું હતું. 


 વહીવટી તંત્ર એલર્ટ


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાનનો વારો આવ્યો હતો. જ્યારે આ તીડનો ખતરો પાટણ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તો ખેડૂતોમાં તીડ આવવાના સંકેતને લઈને ચિંતિત બન્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.