ગુજરાત પર તીડના આક્રમણે ચિંતા વધારી, રાજસ્થાનમાં તીડના સંકટના પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં


  • Published By :
  • Published Date : 2023-08-14 11:16:47

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર ત્રણ વર્ષ બાદ ફરી એકવાર તીડના આક્રમણનું સંકટ તોળાયું છે. જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તાર અને થરાદના ચારડા, વાવના અસારાવાસ, સુઇગામના જલોયા અને માધપુરા ગામ સહિત રાધનપુર પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ગામોની વિઝીટ કરાઈ હતી અને તીડ બાબતે માહિતી મેળવી હતી. તીડના આક્રમણના સંકટને લઈને ફરી ખેડૂતોની સાથે-સાથે વહીવટી તંત્રની પણ ચિંતા વધી છે. રાજ્ય સરકાર તીડના આક્રમણના સામે એક્શન મોડમાં આવી ગઈ છે.


ગુજરાતથી 500 કિમી દુર   


રાજસ્થાનમાં તીડ હોવાનું જાણવા મળતા હજુ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ તીડ દૂર હોવાના સંકેત મળ્યા છે. જ્યારે ત્રણ વર્ષ બાદ ફરી તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા તીડ નિયંત્રણ ટીમ દ્વારા થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકાની તીડ નિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરાઈ હતી, અને તીડ બાબતે નિરીક્ષણ કર્યું હતું.


ચોમાસુ પાકને નુકસાનની આશંકા   


રાજ્યમાં હાલ ચોમાસુ બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તીડ પહેલાં તીડ નિયંત્રણ ટીમ એલર્ટ અને બનાસકાંઠાના થરાદના ચારડા, વાવના અસારાવાસ અને સુઇગામના જલીયા, માધપુરા, સુઇગામ સહિત રાધનપુર વિસ્તારમાં વિઝીટ કર્યાનું અધિકારીએ જણાવ્યું હતું. 


 વહીવટી તંત્ર એલર્ટ


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાનનો વારો આવ્યો હતો. જ્યારે આ તીડનો ખતરો પાટણ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તો ખેડૂતોમાં તીડ આવવાના સંકેતને લઈને ચિંતિત બન્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.