ગુજરાત પર તીડના આક્રમણે ચિંતા વધારી, રાજસ્થાનમાં તીડના સંકટના પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં


  • Published By :
  • Published Date : 2023-08-14 11:16:47

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર ત્રણ વર્ષ બાદ ફરી એકવાર તીડના આક્રમણનું સંકટ તોળાયું છે. જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તાર અને થરાદના ચારડા, વાવના અસારાવાસ, સુઇગામના જલોયા અને માધપુરા ગામ સહિત રાધનપુર પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા ગામોની વિઝીટ કરાઈ હતી અને તીડ બાબતે માહિતી મેળવી હતી. તીડના આક્રમણના સંકટને લઈને ફરી ખેડૂતોની સાથે-સાથે વહીવટી તંત્રની પણ ચિંતા વધી છે. રાજ્ય સરકાર તીડના આક્રમણના સામે એક્શન મોડમાં આવી ગઈ છે.


ગુજરાતથી 500 કિમી દુર   


રાજસ્થાનમાં તીડ હોવાનું જાણવા મળતા હજુ ગુજરાતથી 500 કિલોમીટરથી વધુ તીડ દૂર હોવાના સંકેત મળ્યા છે. જ્યારે ત્રણ વર્ષ બાદ ફરી તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા તીડ નિયંત્રણ ટીમ દ્વારા થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારાવાસ તેમજ સુઈગામ તાલુકાના માધપુરા જલોયા અને સુઇગામ તાલુકાની તીડ નિયંત્રણ ટીમ દ્વારા ખેતરોમાં જઈ વિઝિટ કરાઈ હતી, અને તીડ બાબતે નિરીક્ષણ કર્યું હતું.


ચોમાસુ પાકને નુકસાનની આશંકા   


રાજ્યમાં હાલ ચોમાસુ બાજરી, જુવાર, મગ, મઠ, તલ અને મગફળી જેવા પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે તીડ આવવાના સંકેત મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તીડ પહેલાં તીડ નિયંત્રણ ટીમ એલર્ટ અને બનાસકાંઠાના થરાદના ચારડા, વાવના અસારાવાસ અને સુઇગામના જલીયા, માધપુરા, સુઇગામ સહિત રાધનપુર વિસ્તારમાં વિઝીટ કર્યાનું અધિકારીએ જણાવ્યું હતું. 


 વહીવટી તંત્ર એલર્ટ


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ભારે સંખ્યા તીડના ઝૂંડ ખેતરોમાં આવેલા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાનનો વારો આવ્યો હતો. જ્યારે આ તીડનો ખતરો પાટણ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ આવશે કે નહીં તે હજી ચોક્કસ જાણવા નથી મળ્યું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા હાલ તો એલર્ટ રહીને સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ તો ખેડૂતોમાં તીડ આવવાના સંકેતને લઈને ચિંતિત બન્યા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે