લાખોના ખર્ચે દિવાલો પરથી હટાવાશે રાજકીય પાર્ટીના લોગો,AMCનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 10:20:24

થોડા મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પક્ષોએ જાહેર સ્થળો પર તેમજ શહેરની દિવાલોને પર પાર્ટીના ચિન્હોથી ચિતરી નાખી છે. ત્યારે હવે આ ચિન્હોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવવાનો છે. જો ફરી વખત દિવાલો પર પાર્ટીના ચિન્હો દોરવામાં આવશે તો AMC તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 અનેક દિવાલો પર જોવા મળે છે રાજકીય પાર્ટીના ચિન્હો

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અનેક જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાડતા હોય છે. બિલ્ડિંગો પર તેમજ રિક્ષા પાછળ અનેક પક્ષોના પોસ્ટર જોવા મળે છે. ત્યારે પ્રચાર માટે દિવાલો તેમજ સરકારી મિલક્તોની દિવાલ પર પાર્ટીનો ચિન્હો જોવા મળે છે. દિવાલો પરથી પક્ષોના ચિન્હોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Lotus, hand, broom – Ahmedabad walls are at war. Residents unhappy


AMC કરી રહી છે લોગો હટાવવાની કામગીરી

ચિન્હોને હટાવવામાં અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવશે. તે માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પરથી ચિન્હ હટાવવામાં આવ્યા છે જો ત્યાં ફરીથી ચિન્હો ચિતરવામાં આવશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે