લાખોના ખર્ચે દિવાલો પરથી હટાવાશે રાજકીય પાર્ટીના લોગો,AMCનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 10:20:24

થોડા મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પક્ષોએ જાહેર સ્થળો પર તેમજ શહેરની દિવાલોને પર પાર્ટીના ચિન્હોથી ચિતરી નાખી છે. ત્યારે હવે આ ચિન્હોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવવાનો છે. જો ફરી વખત દિવાલો પર પાર્ટીના ચિન્હો દોરવામાં આવશે તો AMC તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 અનેક દિવાલો પર જોવા મળે છે રાજકીય પાર્ટીના ચિન્હો

પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો અનેક જગ્યાઓ પર હોર્ડિંગ્સ લગાડતા હોય છે. બિલ્ડિંગો પર તેમજ રિક્ષા પાછળ અનેક પક્ષોના પોસ્ટર જોવા મળે છે. ત્યારે પ્રચાર માટે દિવાલો તેમજ સરકારી મિલક્તોની દિવાલ પર પાર્ટીનો ચિન્હો જોવા મળે છે. દિવાલો પરથી પક્ષોના ચિન્હોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Lotus, hand, broom – Ahmedabad walls are at war. Residents unhappy


AMC કરી રહી છે લોગો હટાવવાની કામગીરી

ચિન્હોને હટાવવામાં અંદાજીત 70 લાખનો ખર્ચ કરવામાં આવશે. તે માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પરથી ચિન્હ હટાવવામાં આવ્યા છે જો ત્યાં ફરીથી ચિન્હો ચિતરવામાં આવશે તો તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.