બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને કરાઈ સ્થગિત, રાહુલ ગાંધી અને અદાણી મુદ્દાને લઈ થયો હતો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-20 12:28:33

હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. આજે ફરી એક વખત બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે માત્ર અમુક મિનીટોની અંદર જ સદનને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

 

બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહો કરાયા સ્થગિત 

દેશના અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરાતી હોય છે. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ સિવાય સાંસદો પાસે કોઈ મુદ્દો ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દાઓને લઈ ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે અને આ વાતને લઈ હોબાળો કરી રહ્યું છે તો વિપક્ષ અદાણી મુદ્દાને લઈ જેસીપી તપાસની માગ કરી રહી છે. આ બે મુદ્દાને લઈ હોબાળો સંસદમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ હોબાળાની અસર સંસદની કાર્યવાહી પર પડી રહી છે. શુક્રવારે હોબાળાને કારણે સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ આજે  જ્યારે સત્ર શરૂ થયું તેની થોડી મિનિટોની અંદર જ બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.