બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને કરાઈ સ્થગિત, રાહુલ ગાંધી અને અદાણી મુદ્દાને લઈ થયો હતો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-03-20 12:28:33

હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈને કોઈ મુદ્દે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. આજે ફરી એક વખત બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે માત્ર અમુક મિનીટોની અંદર જ સદનને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

 

બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહો કરાયા સ્થગિત 

દેશના અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરાતી હોય છે. હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી તેમજ રાહુલ ગાંધીના ભાષણ સિવાય સાંસદો પાસે કોઈ મુદ્દો ન હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દાઓને લઈ ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે અને આ વાતને લઈ હોબાળો કરી રહ્યું છે તો વિપક્ષ અદાણી મુદ્દાને લઈ જેસીપી તપાસની માગ કરી રહી છે. આ બે મુદ્દાને લઈ હોબાળો સંસદમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ હોબાળાની અસર સંસદની કાર્યવાહી પર પડી રહી છે. શુક્રવારે હોબાળાને કારણે સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી પરંતુ આજે  જ્યારે સત્ર શરૂ થયું તેની થોડી મિનિટોની અંદર જ બપોરના બે વાગ્યા સુધી લોકસભા તેમજ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.