Lok Sabha Elections: ભાજપની નજર રાજ્યના યુવા મતદારો પર, યુવાનોને રિઝવવા માટે યોજશે આ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:54:23

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તમામ રાજ્યો માટે અલગ-અલગ રણનિતી અપનાવી છે. જેમ કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું મુખ્ય ફોકસ યુવા મતદારો પર છે. ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખથી વધુના માર્જીનથી જીતવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. જે મુજબ ભાજપે રાજ્યના 40 લાખ યુવાનોને રિઝવવા માટે પાર્ટીના યુવા મોરચાને કામે લગાડ્યો છે. રાજ્યમાં 18થી 22 વર્ષના 25 લાખ જેટલા યુવા મતદારો છે. રાજ્યમાં યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધી છે, આ એટલી મોટી જનસંખ્યા છે કે તે તમામ પાર્ટીઓ માટે ચૂંટણી જીતવા માટે મહત્વની બની રહેશે. 


રાજ્યમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા સીટોમાં યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી રણનિતી અપનાવી છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમ કે માય ફર્સ્ટ વોટ ફોર મોદી, યુવા અડ્ડા કાર્યક્રમ, યુવા ચોપાલ કાર્યકર, નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત યુથ આઇકોનને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવવા સહિતની ઈવેન્ટ પણ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહે તે માટે વાહન સુવિધા પણ ભાજપના યુવા મોરચાનના કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.