Lok Sabha Elections: ભાજપની નજર રાજ્યના યુવા મતદારો પર, યુવાનોને રિઝવવા માટે યોજશે આ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:54:23

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તમામ રાજ્યો માટે અલગ-અલગ રણનિતી અપનાવી છે. જેમ કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું મુખ્ય ફોકસ યુવા મતદારો પર છે. ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખથી વધુના માર્જીનથી જીતવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. જે મુજબ ભાજપે રાજ્યના 40 લાખ યુવાનોને રિઝવવા માટે પાર્ટીના યુવા મોરચાને કામે લગાડ્યો છે. રાજ્યમાં 18થી 22 વર્ષના 25 લાખ જેટલા યુવા મતદારો છે. રાજ્યમાં યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધી છે, આ એટલી મોટી જનસંખ્યા છે કે તે તમામ પાર્ટીઓ માટે ચૂંટણી જીતવા માટે મહત્વની બની રહેશે. 


રાજ્યમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા સીટોમાં યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી રણનિતી અપનાવી છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમ કે માય ફર્સ્ટ વોટ ફોર મોદી, યુવા અડ્ડા કાર્યક્રમ, યુવા ચોપાલ કાર્યકર, નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત યુથ આઇકોનને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવવા સહિતની ઈવેન્ટ પણ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહે તે માટે વાહન સુવિધા પણ ભાજપના યુવા મોરચાનના કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે