Lok Sabha Elections: ભાજપની નજર રાજ્યના યુવા મતદારો પર, યુવાનોને રિઝવવા માટે યોજશે આ કાર્યક્રમો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:54:23

આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તમામ રાજ્યો માટે અલગ-અલગ રણનિતી અપનાવી છે. જેમ કે ગુજરાતમાં ભાજપના નેતાઓનું મુખ્ય ફોકસ યુવા મતદારો પર છે. ભાજપને રાજ્યની તમામ 26 લોકસભા સીટો 5 લાખથી વધુના માર્જીનથી જીતવા માટે ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે. જે મુજબ ભાજપે રાજ્યના 40 લાખ યુવાનોને રિઝવવા માટે પાર્ટીના યુવા મોરચાને કામે લગાડ્યો છે. રાજ્યમાં 18થી 22 વર્ષના 25 લાખ જેટલા યુવા મતદારો છે. રાજ્યમાં યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધી છે, આ એટલી મોટી જનસંખ્યા છે કે તે તમામ પાર્ટીઓ માટે ચૂંટણી જીતવા માટે મહત્વની બની રહેશે. 


રાજ્યમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા સીટોમાં યુવા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી રણનિતી અપનાવી છે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમ કે માય ફર્સ્ટ વોટ ફોર મોદી, યુવા અડ્ડા કાર્યક્રમ, યુવા ચોપાલ કાર્યકર, નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત યુથ આઇકોનને વિકસિત ભારતના એમ્બેસેડર બનાવવા સહિતની ઈવેન્ટ પણ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહે તે માટે વાહન સુવિધા પણ ભાજપના યુવા મોરચાનના કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.