Loksabha: Congress ઉમેદવારોની યાદી કરી શકે છે જાહેર, Amit Chavda, Tushar Chaudhary તેમજ ગુલાબસિંહ સહિતના નેતાઓ ક્યાંથી લડી શકે છે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-20 14:24:22

ભાજપે તો 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગમે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અને આ બધા વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે અનેક ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે! ઉમેદવારોના નામ અંગેની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે  પંચમહાલથી ગુલાબસિંહને કોંગ્રેસ, અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.  


કોંગ્રેસ ઉમેદવારોના નામની કરી શકે છે ઘોષણા  

જ્યારે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ત્યારે મતદાતાઓને ઉમેદવારોના નામની ઈંતેઝારી રહેતી હોય છે. કઈ પાર્ટી કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારશે તે વાત પર સૌ કોઈની નજર રહેલી હોય છે.. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવાર કોને બનાવવા તે માટે ચર્ચાઓ થઈ રહી છે. ઉમેદવારોને પસંદ કરતા પહેલા દરેક પાસા પર પાર્ટી દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. થોડા સમયની અંદર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ઉમેદવરાોનું વધુ એક લિસ્ટ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે અને તેમાં ગુજરાતના 8થી 10 ઉમેદવારો હોવાની સંભાવનાઓ છે. 


કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી રહી છે. ધારાસભ્યોને ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે. એ અનંત પટેલ હોય કે પછી ગેનીબેન ઠાકોર હોય. વધુ ધારાસભ્યોને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. સંભવિત નામોની વાત કરીએ તો આંણદથી કોંગ્રેસે અમિત ચાવડા, સાબરકાંઠા તુષાર ચૌધરીની ટિકિટ નક્કી છે જ્યારે  પંચમહાલથી ગુલાબસિંહને તો અમરેલીથી જેની ઠુમ્મરને ઉમેદવાર ઘોષિત કરવામાં આવી શકે છે. પાટણથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી , છોટાઉદેપુર સુખરામ રાઠવા ,  સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈ, ગાંધીનગર બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે સોનલબેન પટેલનું નામ પણ નક્કી જેવુ છે. મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરના નામની ચર્ચા થઇ રહી છે હવે કોંગ્રેસના મંથન બાદ આ નામોની જાહેરાત થાય તેના પર બધાની નજર છે 


આપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન

એક તરફ આવી ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાની અનેક બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. સુરત, દાહોદ તેમજ જૂનાગઢ માટે આપ સાથે ગઠબંધન કોંગ્રેસ કરી શકે છે. ત્યારે જોવું રહ્યું કે રાજનીતિના આ ખેલમાં આગળ શું થાય છે.?    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.