Loksabha Election Result : Bharuchના સાંસદ ફરી બન્યા Mansukh Vasava! Chaitar Vasavaએ સ્વીકારી હાર...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-04 16:26:49

ગુજરાતમાં લોકસભાની અનેક બેઠકો એવી હતી જેની ચર્ચાઓ ક્યારની થતી હતી.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા તો ચર્ચામાં હતી પરંતુ તેની સાથે સાથે ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં હતી. મનસુખ વસાવાને ભાજપે ટિકીટ આપી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી. ચૂંટણીનો માહોલ ચૈતર વસાવાએ સારો બનાવ્યો હતો પરંતુ તે માહોલ, સભામાં એકત્રિત થતી ભીડ વોટમાં પરિવર્તિત ના થઈ. મનસુખ વસાવા ફરીથી ભરૂચના સાંસદ બન્યા છે....

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની થઈ જીત

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. એક બેઠક હતી ભરૂચની અને એક બેઠક હતી ભાવનગરની.. ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી. આ બંને બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.


ચૈતર વસાવાએ સ્વીકારી લીધી હાર!  

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મનસુખ વસાવાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા. આ વખતે એવું લાગતું હતું કે ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે છે મનસુખ વસાવાને પરંતુ તે ના થયું.. મનસુખ વસાવા ફરીથી જીતી ગયા અને તે ભરૂચના સાંસદ બની ગયા.. ચૈતર વસાવાએ હાર માની લીધી હતી. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.