Loksabha Election Result : Bharuchના સાંસદ ફરી બન્યા Mansukh Vasava! Chaitar Vasavaએ સ્વીકારી હાર...


  • Published By :
  • Published Date : 2024-06-04 16:26:49

ગુજરાતમાં લોકસભાની અનેક બેઠકો એવી હતી જેની ચર્ચાઓ ક્યારની થતી હતી.. અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા તો ચર્ચામાં હતી પરંતુ તેની સાથે સાથે ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં હતી. મનસુખ વસાવાને ભાજપે ટિકીટ આપી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી. ચૂંટણીનો માહોલ ચૈતર વસાવાએ સારો બનાવ્યો હતો પરંતુ તે માહોલ, સભામાં એકત્રિત થતી ભીડ વોટમાં પરિવર્તિત ના થઈ. મનસુખ વસાવા ફરીથી ભરૂચના સાંસદ બન્યા છે....

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની થઈ જીત

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. એક બેઠક હતી ભરૂચની અને એક બેઠક હતી ભાવનગરની.. ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ હતી. આ બંને બેઠકો પર ઉભા રહેલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.


ચૈતર વસાવાએ સ્વીકારી લીધી હાર!  

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. મનસુખ વસાવાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા. આ વખતે એવું લાગતું હતું કે ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે છે મનસુખ વસાવાને પરંતુ તે ના થયું.. મનસુખ વસાવા ફરીથી જીતી ગયા અને તે ભરૂચના સાંસદ બની ગયા.. ચૈતર વસાવાએ હાર માની લીધી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.