Loksabha Election : BJPએ તો ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી પરંતુ Congress ક્યારે કરશે? સાંભળો આને લઈ Shaktisinh Gohilએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-04 11:18:52

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. 195માંથી ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના 24 ઉમેદવારોના નામની યાદી ક્યારે જાહેર કરશે? આ વાતનો જવાબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. આવનાર થોડા દિવસોની અંદર ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવી વાત તેમણે કહી છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે. તે સિવાય સંભવિત નામોની ચર્ચા કરી તો ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે.

    

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી!

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે પરંતુ તે ઉમેદવાર કોણ હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ માટે તો ચર્ચાઓ થઈ રહી હતી કે આમને ઉમેદવાર બનાવાઈ શકાય છે, આમનું પત્તું કપાઈ શકે છે વગેરે વગેરે.... પરંતુ કોંગ્રેસ માટે આવું કહેવું કદાચ અઘરૂં છે કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેવો માહોલ નથી બન્યો જેટલો માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો!  


7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચશે ગુજરાત!

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 7 માર્ચથી 10 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની અનેક બેઠકોને આવરી લેવામાં આવી છે રાહુલ ગાંધીની આ યાત્રામાં. એક તરફ ઉમેદવારોના નામોને લઈ અસમંજસ છે તો બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાત આવવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગુજરાતથી નામો દિલ્હી પણ પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.