Loksabha Election : BJPએ તો ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી પરંતુ Congress ક્યારે કરશે? સાંભળો આને લઈ Shaktisinh Gohilએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-04 11:18:52

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. શનિવારે ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. 195માંથી ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના 24 ઉમેદવારોના નામની યાદી ક્યારે જાહેર કરશે? આ વાતનો જવાબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. આવનાર થોડા દિવસોની અંદર ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવી વાત તેમણે કહી છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર લોકસભા ચૂંટણી લડી શકે છે. તે સિવાય સંભવિત નામોની ચર્ચા કરી તો ડો. યોગેશ મેત્રક, ભરત મકવાણા અને રત્નાબેન વોરાનું નામ આ પેનલમાં સામેલ છે.

    

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી!

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ 24 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે પરંતુ તે ઉમેદવાર કોણ હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ માટે તો ચર્ચાઓ થઈ રહી હતી કે આમને ઉમેદવાર બનાવાઈ શકાય છે, આમનું પત્તું કપાઈ શકે છે વગેરે વગેરે.... પરંતુ કોંગ્રેસ માટે આવું કહેવું કદાચ અઘરૂં છે કારણ કે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેવો માહોલ નથી બન્યો જેટલો માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો!  


7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચશે ગુજરાત!

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી 7 માર્ચથી 10 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતની અનેક બેઠકોને આવરી લેવામાં આવી છે રાહુલ ગાંધીની આ યાત્રામાં. એક તરફ ઉમેદવારોના નામોને લઈ અસમંજસ છે તો બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાત આવવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ગુજરાતથી નામો દિલ્હી પણ પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે